260 કરોડના કૌભાંડી દંપતિ, વિનય અને ભાર્ગવી શાહ કાઠમંડુથી ઝબ્બે
અમદાવાદ અને આસપાસના વિસ્તારના લોકોને એકના ડબલ રૂપિયા કરી આપવાની લાલચભરી સ્કીમ અન્વયે રૂપિયા ઉઘરાવ્યા બાદ રફૂચક્કર થઇ ગયેલા વિનય શાહ અને ભાર્ગવી શાહ દંપતિ આખરે નેપાળમાં ઝડપાયું હોવાના અહેવાલો છે. અમદાવાદ સમેત આખા ગુજરાતમાંથી આ દંપતિએ રૂ.260 કરોડ જેટલી માતબર રકમ પોન્ઝી સ્કીમ અન્વયે લોકો પાસેથી વસુલીને ફરાર થઇ ગયા હતા.

સત્તાવાર સૂત્રોએ આપેલી માહિતી મુજબ રૂ.260 કરોડ રૂપિયાના કૌભાંડ કરનાર વિનય શાહની નેપાળના કાઠમંડુમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે. અમદાવાદમાં એકના ડબલ કરવાની લાલચે લોકોના રૂપિયા ચાંઉ કરી જનાર વિનય શાહ છેલ્લા કેટલાક દિવસોથી નેપાળમાં છુપાયો હોવાની બાતમી મળતા ગુજરાત પોલીસે નેપાળ પહોંચીને અને વિનય શાહને ઝડપી લીધો છે.

અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ પાલડીમાં રહેતા શાહ દંપતિ, વિનય શાહ અને ભાર્ગવી શાહ વિરુદ્ધ માર્કેટિંગના બિઝનેસ દ્વારા એકના ડબલ પૈસા કરવાની લાલચ આપી છેતરપિંડી કરાયાની ફરિયાદ નોંધાઈ હતી. ઠગ શાહ દંપતિ વિરુદ્ધ છેતરપિંડીની પાંચ ફરિયાદો નોંધાઈ છે. આ ઉપરાંત અંદાજિત 250 લોકોએ 4500 રૂપિયાથી લઈને એક લાખ રૂપિયા સુધીનું રોકાણ આ સ્કીમમાં કરેલું છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર સમગ્ર કૌભાંડ 260 કરોડ રૂપિયાનું છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


