ભરચોમાસે શાકભાજીના ભાવ ભડકે

Share On :

ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક હાઈવે બંધ છે, મહારાષ્ટ્ર તરફથી આવતાં શાકભાજીની ટ્રકો ફસાઇ હોવાથી ગુજરાતના જુદાજુદા શહેરોમાં શાકભાજીનો સપ્લાય અનિયમિત બન્યો છે. સુરત, ભરૂચ, વડોદરા, અમદાવાદ સુધી શાકભાજીની સપ્લાય ચેઇન બ્રેક થઇ જતા હાલ શાકભાજીના ભાવો ચોમાસામાં ભડકે બળ્યા છે. રિંગણા અમદાવાદમાં 130 રૂપિયે કિલો જ્યારે સુરતમાં 120 રૂપિયે કિલો વેચાયા હોવાના અહેવાલો છે.

symbolic Photo

સુરત સમેત ગુજરાતની શબ્જી મંડીઓમાં શાકભાજીનો માલ સમયસર પહોંચતો ન હોવાથી તેમના દ્વારા માલની હેરફેર બંધ કરવામાં આવી હતી. શાકભાજીની નવી આવક ઘટવાના પગલે લીલા શાકભાજીના ભાવમાં ઉછાળો આવ્યો હતો.

ગુજરાતમાં ધોધમાર વરસાદથી પીવાના અને સિંચાઈના પાણીમાં રાહત મળી છે, પરંતુ ભારે વરસાદના કારણે શાકભાજીની આવક પણ ઘટી છે. પરિણામે શાકભાજીના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે.

સિંગતેલ અને કઠોળના ભાવ વધારા પછી હવે શાકભાજીના ભાવમાં પણ વધારો થયો હતો. સૌથી વધુ રીંગણા મોંઘા બન્યા છે. ચાર પાંચ દિવસ પહેલા ૧૦-૧૫ રૂપિયાના કિલો વેચાતા રીંગણા યાર્ડમાં હરાજીમાં રૂ. ૧૩૦માં વેચાયા હતા જ્યારે છૂટક માર્કેટમાં રૂ.૧૫૦ સુધી ભાવ બોલાયા હતા.

ધ્રાબડિયા વાતાવરણને કારણે રીંગણાના પાકમાં ઈયળોનો ઉપદ્રવ વધી ગયો છે. જે ફૂલ અને કળી આવી હતી તે ખરી ગઈ છે એટલે ભાવ વધ્યો છે. સિઝનમાં ૧૦૦ ટન જેટલી આવક થાય છે તેના બદલે હાલની આવક માત્ર ૫ ટન જ છે. જેથી સામાન્ય રીતે ૩૦-૪૦ રૂપિયે મળતા શાકભાજી અત્યારે ૮૦થી ૧૦૦ રૂપિયા સુધી થઇ ગયા છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં શાકભાજીનું ઉત્પાદન ઘટ્યું છે. ઠેર-ઠેર પાણી ભરાતા પરપ્રાંતથી આવતી શાકભાજીની આવકમાં પણ ૪૦ ટકાનો ઘટાડો થયો હતો. ગુજરાતમાં શાકભાજીના ભાવમાં ૩૦થી ૪૦ ટકા જેટલો વધારો થતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના બજેટ ખોરવાયા છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :