તબલિઘી જમાત : પોલીસને માહિતી આપવા શિયા બૉર્ડની અપીલ
ઉત્તર પ્રદેશના શિયા વકફ બૉર્ડે પોતાના સભ્યોને જો દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં તબલિઘી જમાતના કાર્યક્રમમાં જોડાયેલ કોઇ વ્યક્તિ વિશે એમની પાસે માહિતી હોય તો એ તુરંત પોલીસને જણાવવાની સલાહ આપી છે.

બૉર્ડના ચેરમેન વાસીમ રીઝવીએ કરેલી જાહેરાતમાં જણાવ્યા પ્રમાણે આ સાથે બધા જ મુતાવલીઓ (હોદ્દેદારો)ને જણાવવામાં આવે છે કે તમારા મસ્જિદ અથવા મદરેસામાં તબલિઘી જમાતના કાર્યક્રમમાં જઇ આવનાર કોઇ વ્યક્તિ આવી હોય અથવા મુસ્લિમ હોવાનું જણાવી ત્યાં છુપાવા માગતી હોય તો એ વિશેની જાણ પોલીસને તુરંત કરવી. આ વિશેની માહિતી બૉર્ડના ઉત્તર પ્રદેશના હૅલ્પલાઇન નંબર પર પણ આપવી.
ભારત અને નેપાળની સરહદ નજીક આવેલા મસ્જિદ અને મદરેસાએ આ મામલે ખાસ ધ્યાન આપવું. જો કોઇપણ મુતાવલી આવા કોઇ દેશદ્રોહીને મદદ કરશે અથવા એને છુપાવા માટે જગ્યા આપશે તો બૉર્ડ એની સામે રાષ્ટ્રીય સુરક્ષા ધારા હેઠળ પગલાં લેવાની ભલામણ કરશે.
આ વિશેની માહિતી બધા જ મુતાવલીને આપવાની જવાબદારી ચીફ ઍક્ઝિક્યુટિવ અધિકારી અને બધા જ ઇન્સ્પેક્ટરોને સોંપવામાં આવી છે.
દરમિયાન ઉત્તર પ્રદેશ પોલીસે આવા લોકોની બાતમી આપનારા માટે શનિવારે ઈનામ જાહેર કર્યું હતું. આઝમગઢના એસપી ત્રિવેણી સિંહે કહ્યું હતું કે ‘બાતમી આપનારાઓને ૫૦૦૦ રૂપિયાનું રોકડ ઈનામ આપવામાં આવશે અને બાતમીદારની ઓળખ ખાનગી રાખવામાં આવશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


