CIA ALERT

સી.આર. પાટીલની રજૂઆતોની ફળશ્રુતિ : હવે ઉધનાથી પૂનાની ટ્રેન સપ્તાહમાં એકને બદલે બે દિવસ

Share On :

ગુજરાત પ્રદેશ ભાજપાના પ્રમુખ અને નવસારીના સાંસદ, સુરતના વતની એવા શ્રી સી.આર. પાટીલે આજે તા.13મી જૂન 2021ના રોજ પોતાના ફેસબુક પેજ પરથી એવી ઘોષણા કરી હતી કે સુરતથી પૂના જતા આવતા લોકો માટે ફક્ત એક જ ટ્રેન સપ્તાહમાં એક વખત ચાલી રહી હતી. આ ટ્રેનની ફ્રિક્વન્સી વધે તો હજારો લોકોને તેનો લાભ મળે તેમ છે. આવી સામાન્ય લોકોની લાગણીને સાંસદ તરીકે શ્રી સી.આર. પાટીલે રેલ્વે મંત્રાલય સુધી પહોંચાડી હતી. જેની ફળશ્રુતિ રૂપે હવે સુરતથી પૂનાની ટ્રેન સપ્તાહમાં એક દિવસને બદલે બે દિવસ સુરતથી ઉપડશે.

19026/Amravati - Surat Express - Terminal to Surat WR/Western Zone - Railway  Enquiry

સુરત પૂના ટ્રેન અંગે શ્રી સી.આર. પાટીલે કહ્યું કે હવે ઉધના રેલવે સ્ટેશનથી ટ્રેન નંબર 59025 અઠવાડીયામાં બે દિવસ, દર મંગળવાર અને દર શનિવારે ઉપડશે, જે વાયા નંદરબાર થઇને પૂના રવાના થશે. યાત્રીઓને આ ફ્રિક્વન્સી વધારાને કારણે ખાસ્સો લાભ થશે એવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.

https://www.facebook.com/CRPatilMP/photos/a.701066413241365/4656171034397530/
Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :