CIA ALERT

હવેથી ટ્રિપલ તલાક ગુનો, મોદી સરકારે કાયદો મંજૂર કરી રાષ્ટ્રપતિને મોકલ્યો

Share On :

તા.19મી સપ્ટેમ્બર 2018ના દિવસે કેન્દ્ર સરકારની કેબિનેટએ ટ્રિપલ તલાકનાં વટહુકમ પર મંજૂરીની મહોર મારી દીધી છે. પહેલેથી જ નરેન્દ્ર મોદીની સરકાર ત્રિપલ તલાકને ગુનો ગણવાના મૂડમાં હતી અને આખરે તે થઇને રહ્યું. અગાઉ મોદી સરકારે રજૂ કરેલા ત્રિપલ તલાકના મૂળ મુસદ્દા સામે કોંગ્રેસ સહિતનાં અન્ય વિપક્ષી દળોની માંગણીઓને પગલે મૂળ મુસદ્દામાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. સંશોધન બાદ પણ વટહુકમ રાજ્યસભામાં પાસ નહતું થઈ શક્યું. જો કે, લોકસભામાં આ બિલ પહેલેથી જ પાસ થઈ ગયું હતું. ટ્રિપલ તલાક વટહુકમ આ પહેલા બજેટ સત્ર અને ચોમાસા સત્રમાં રજૂ કરવામાં આવ્યું હતું પરંતુ રાજ્યસભામાં પાસ ન થઈ શક્યું.

આ મુદ્દાઓ મુખ્ય રહ્યા

– ટ્રાયલ પહેલા પીડિતાની વાત સાંભળીને મેજિસ્ટ્રેટ આરોપીને જામીન આપી શકે છે.

– પીડિતા, પરિવાર અને લોહીનાં સંબધી જ એફઆઈઆર દાખલ કરાવી શકે છે.

– મેજિસ્ટ્રેટને પતિ-પત્ની વચ્ચે સમજૂતિ કરાવીને લગ્નજીવન ટકાવી રાખવાનો અધિકાર હશે.

અગાઉ સંસદમાં ચોમાસા સત્ર દરમિયાન રાજ્યસભામાં થયેલ હોબાળા અને રાજનૈતિક સંમતિ નહીં મળવાનાં કારણે ટ્રિપલ તલાકનું બિલ છ મહિના સુધી પાસ નહતું થઈ શક્યું. મોદી કેબિનેટે આ બિલમાં ત્રણ સંશોધન કર્યા છે. જેમાં જામીન આપવાનો અધિકાર મેજિસ્ટ્રેટ પાસે હશે અને કોર્ટની સંમતિથી સમજૂતીની જોગવાઈ પણ કરવામાં આવશે. હવે આ વટહુકમને મંજૂરી માટે રાષ્ટ્રપતિ પાસે મોકલી દેવાયું છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :