Air India : 11થી 19 જુલાઇ વચ્ચે અમેરીકાથી ભારત 36 ફ્લાઇટ્સ ઉડાડશે : બુકિંગ 6 Julyથી
વંદે ભારત મિશન અંતર્ગત અમેરીકામાં હાલ કોવીડ-19ની સૌથી માઠી અસર વચ્ચે ફસાયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવા માટે એર ઇન્ડિયાએ ભારત સરકારની સૂચનાથી લોંચ કરેલા વંદે ભારત મિશન અંતર્ગત આગામી તા.11 જુલાઇથી 19 જુલાઇ વચ્ચે કુલ 36 ફ્લાઇટ્સ અમેરિકાથી ભારત ઉડાડશે.
અમેરીકામાં ચીકાગો, સાન ફ્રાન્સિસ્કો અને ન્યુયોર્ક એરપોર્ટથી ભારત પરત ફરવા અંગેની ફ્લાઇટ્સના બુકિંગ તા.6 જુલાઇ 2020ના રોજ જુદાજુદા સમયે શરૂ કરવામાં આવશે. આ તમામ ફ્લાઇટ્સના બુકિંગ એર ઇન્ડિયાની વેબસાઇટ્સ પરથી કરી શકાશે.
રવિવારે તા.5મી જુલાઇએ એર ઇન્ડિયાએ ટ્વીટર હેન્ડલ પરથી આ મહત્વની જાહેરાત કરી હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
