મોદીને બદનામ કરવાની ચાલ: ભાજપ
વડા પ્રધાન મોદીને ‘મુખ્ય વિભાજનકારી’ ગણાવતા ટાઇમ મેગેઝિનના લેખ સામે પ્રત્યાઘાત આપતા ભાજપે આજે કહ્યું કે લેખક મોદીની છબી ખરાબ કરીને પાકિસ્તાનની કાર્યસૂચિ અમલમાં મૂકવા પ્રયત્ન કરી રહ્યો છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ એક પત્રકાર પરિષદમાં કહ્યું કે લેખક પાકિસ્તાનનો છે અને પાકિસ્તાન પાસે કોઇ સારી અપેક્ષા રાખી શકાય નહીં. લેખને રિટ્વિટ કરનારા રાહુલ ગાંધીની ભાજપ પ્રવક્તાએ ઝાટકણી કાઢી હતી.
પાકિસ્તાનના રાજકારણી અને બિઝનેસમેન સલમાન તાસીરના પુત્ર આતિશ તાસીરે મોદીના નેતૃત્વની ટીકા કરતો લેખ લખ્યો છે. લેખકની માતા ભારતીય પત્રકાર છે.
ભાજપના પ્રવક્તાએ કહ્યું કે વડા પ્રધાન એકતાના પ્રતીક છે અને તેમની ‘સુધારાવાદી, કાર્યક્ષમ અને પરિવર્તનશીલ’ કાર્યસૂચિ હેઠળ ભારત ‘ન્યૂ ઇન્ડિયા’ ના માર્ગ પર આગળ વધી રહ્યું છે. સંબિત પાત્રાએ મોદી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી હતી. કૉંગ્રેસી નેતા નવજોત સિદ્ધુની ટીકા કરતા પાત્રાએ કહ્યું કે તે રોજ વિચિત્ર નિવેદનો કરતા હોય છે પણ સામ પિત્રોડાના ‘હુઆ તો હુઆ’ નિવેદન સામે એક પણ શબ્દ બોલ્યા નથી.
મોદી સરકારને અંગ્રેજોના શાસન સાથે સરખાવવાના પ્રયત્ન તરીકે સિદ્ધુએ એક રેલીમાં ‘કાલે અંગ્રેજો’ને હટાવવા પ્રજાને હાકલ કરી હતી. આની સામે પ્રતિભાવ આપતા પાત્રાએ કહ્યું કે કૉંગ્રેસે ઇટાલિયન રંગ પર અભિમાન કરવું જોઇએ નહીં, જે 23 મે પછી ધોવાઇ જશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
