સૌરાષ્ટ્રમાં વીજળી પડતા 7ના મોત
ગુજરાતમાં સતત બીજા દિવસે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે પવન અને વીજળીની ગડગડાટી સાથે જોરદાર ઝાપટાં પડ્યાં હતા જેમાં વીજળી પડવાથી પાંચ લોકોના મોત થયાં હતા. બોટાદમાં ૫ વર્ષની બાળકી સહિત ત્રણ અને જામનગરમાં માતા-પુત્ર મળીને પાંચના મોત થયાં હોવાનું જાણવા મળે છે.

સૌરાષ્ટ્રમાં મેઘમહેર વચ્ચે વીજળીએ પણ કહેર વરસાવ્યો હતો. વીજળી પડવાથી બોટાદ જિલ્લામાં એક પાંચ વર્ષની બાળકી અને ૬૦ વર્ષના વૃદ્ધનું મોત નીપજ્યું હતું. જ્યારે જસદણના ડોડિયાળા ગામમાં વીજળી પડતા એક વ્યક્તિને ઇજા પહોંચતા સારવાર માટે ગોંડલ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યારે બોટાદના સરવઇ ગામે વાડીમા કામ કરતી મહિલા પર વીજળી પડતા તેનું મોત નીપજ્યું હતું.
આ ઉપરાંત જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના રક્કા ખટીયા ગામે વીજળી પડતા માતા-પુત્રના મોત નીપજ્યા હતા. વાડી વિસ્તારમાં વીજળી ત્રાટકતા નીતાબેન (ઉં.વ. ૩૫) અને તેના પુત્ર વિશાલ (ઉ.વ.૧૨)નું મોત નીપજ્યું હતું. જ્યારે બોટાદમાં ઘનશ્યામભાઈ ચૌહાણ (ઉં.વ.૬૦) અને જાનવી ચૌહાણ (ઉં.વ.૫) બન્ને ભાવનગર રોડ ઉપર આવેલી વાડીએ ખેતરમાં હતા ત્યારે વીજળી પડતા બંનેના ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતા. બોટાદ પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બોટાદના સરવઇ ગામે રહેતા અને વાડીમાં કામ કરતા ગુજીબેન પર અચાનક વીજળી પડી હતી. વીજળી પડતા તેઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


