CIA ALERT

સ્ટેચ્યુ ઓફ યુનિટી 28થી 31 ઓક્ટોબર દરમિયાન બંધ નહીં રહે

Share On :

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લુ રાખવાને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે હવે બંધ નહીં રહે. આગામી 28થી 31 ઓક્ટોબર દરમિયાન પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લુ રાખવાનો નિર્ણય લેવાયો છે. પ્રવાસીઓની માગણીને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને સઘન સુરક્ષા પણ ગોઠવવામાં આવશે.

મહત્વનું છે કે, 31મી ઓક્ટોબરે કેવડીયા નર્મદા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આઝાદી કા અમૃત મહોત્સવ થીમ આધારિત રાષ્ટ્રીય એકતા દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી થવાની છે. પીએમ મોદી 30 અને 31 ઓક્ટોબરે કેવડીયાના પ્રવાસે હોવાથી પ્રવાસન સ્થળ પાંચ દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. જેને લઈને હાલ તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આ નિર્ણય ફેરવાયો છે અને પ્રવાસીઓ માટે સ્ટેચ્યૂ ઓફ યૂનિટી ખુલ્લુ રાખવાનો નિર્ણય લેવાયો છે.

પીએમ મોદીના આગમનના કારણે તંત્ર દ્વારા પાંચ દિવસ સુધી કેવડીયામાં પ્રવાસન સ્થળ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. આમ 28મીથી 1 નવેમ્બર સુધી કેવડીયાના તમામ પ્રવાસન સ્થળ બંધ રાખવાની સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્રએ વેબસાઈટ પર નોટિસ મૂકીને ઓનલાઈન ટિકિટ બુકિંગ બંધ કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. સૂત્રોનું માનીએ તો, 30 ઓક્ટોબરના રોજ પીએમ મોદી કેવડીયા પહોંચશે.

ત્યારબાદ સાંજે નર્મદા આરતી કરીને ઘાટનું લોકાર્પણ પણ કરશે અને કેવડીયામાં જ રાત્રિ રોકાણ કરશે. ત્યારબાદ 31મી ઓક્ટોબર એટલે સરદાર પટેલની જન્મ જયંતી નિમિત્તે કેવડીયા મુકામે આઝાદી કા અમૃત મહોત્સવ થીમ પર રાષ્ટ્રીય એકતાની ઉજવણી થશે. જેમાં સરદાર સાહેબની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપીને રાષ્ટ્રીય એકતા પરેડની સલામી ઝીલાશે. આ કાર્યક્રમને લઈને અહીં તડામાર તૈયારીઓ પણ શરૂ થઈ ચૂકી છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :