CIA ALERT

રામાયણયાત્રા ટ્રેન આજ(7/11/21)થી શરૂ થશે

Share On :

ઇન્ડિયન રેલવે કેટરિંગ ઍન્ડ ટૂરિઝમ કૉપૉર્રેશન (આઇઆરસીટીસી) સાતમી નવેમ્બરથી શ્રી રામાયણયાત્રા ટ્રેન શરૂ કરશે. ધાર્મિક પ્રવાસને પ્રોત્સાહન આપવાના હેતુથી અનેક આવી ટ્રેન દોડાવાશે.

ઇન્ડિયન રેલવે કેટરિંગ ઍન્ડ ટૂરિઝમ કૉપૉર્રેશને જણાવ્યું હતું કે યાત્રા માટેની ખાસ ટ્રેન અને ડિલક્સ ટૂરિસ્ટ ટ્રેનને યાત્રાળુઓની સંખ્યા અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને દોડાવાશે.
તેણે જણાવ્યું હતું કે રામાયણ સર્કિટ ટ્રેન નવી દિલ્હીથી સાતમી નવેમ્બરે ઊપડશે અને બાદમાં અન્ય ચાર ટ્રેન પણ ચાલુ મહિને દોડાવાશે.

શ્રી રામાયણયાત્રા એક્સ્પ્રેસ – મદુરાઇ ટ્રેન ૧૮ નવેમ્બરે ઊપડશે. તેમાં સ્લિપર વર્ગના ડબા હશે. આ પૅકેજ ૧૨ રાત અને ૧૩ દિવસનો રહેશે.

આ ઉપરાંત, શ્રી રામાયણયાત્રા એક્સ્પ્રેસ – શ્રી ગંગાનગર યાત્રા માટેની ખાસ ટ્રેન ઉત્તર ભારતમાં દોડાવાશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :