શિક્ષકોને Social Media પર રાજ્કીય પોસ્ટ નાંખવાની મનાઇ
જયેશ બ્રહ્મભટ્ટ
અગાઉ મહારાષ્ટ્રના લાતૂર જિલ્લામાં ચૂંટણી પંચે શિક્ષકો માટે એવી સૂચના જારી કરી હતી કે શિક્ષકો રાજકીય સભાઓ, ચૂંટણી સભાઓમાં જઇ શકશે નહીં કે ભાષણ કરી શકશે નહીં હવે શિક્ષકો માટે એવી સૂચના બહાર પાડવામાં આવી છે કે સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ પર શિક્ષકો કોઇપણ પ્રકારની રાજકીય પોસ્ટ મૂકી શકશે નહીં. શિક્ષકો બહોળા વર્ગના લોકોને પ્રભાવિત કરી શકે છે. શિક્ષકોના વિદ્યાર્થીઓ ભલે મતદારો ન હોય પરંતુ, તેઓનો પ્રભાવ વાલીઓ-મતદારો પર જોવા મળે છે અને તેમની પોસ્ટથી તેઓ પ્રભાવિત કરી શકે તેમ હોવાથી શિક્ષકોને રાજકીય પોસ્ટ મૂકવાની મનાઇ ફરમાવવામાં આવી છે.
ગુજરાતમાં આવી કોઇ સૂચના ચૂંટણી પંચે જારી કરી હોય તેવી જાહેરાત કરવામાં આવી નથી.
(સિમ્બોલિક ફોટો)
શિક્ષકોની અભિવ્યક્તિની સ્વતંત્રતા પર તરાપ
મહારાષ્ટ્ર રાજ્યની વાત છે. રાજકીય પક્ષની સભામાં ઉપસ્થિત રહેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા બાદ ચૂંટણી પંચે હવે શિક્ષકોને સોશિયલ મીડિયા પર રાજકીય પોસ્ટ નાખવા પર રોક મૂકી છે. આ અંગેની સૂચના લાતુર લોકસભા મતદારક્ષેત્રના ચૂંટણી અધિકારીએ બહાર પાડી છે. તેને કારણે શિક્ષકોના અભિવ્યક્તિની સ્વતંત્રતા પર લગામ મૂકવાનો આ પ્રયત્ન હોવાનો મત શિક્ષણ ક્ષેત્ર દ્વારા વ્યકત થઇ રહ્યો છે. દેશના પ્રત્યેક નાગરિકને કોઇને કોઇ પક્ષને મતદાન કરતો હોય છે. તેમાં શિક્ષકોનો પણ સમાવેશ છે. એવામાં શિક્ષકો પ્રચાર સભામાં હાજરી આપે અથવા એકાદી પોસ્ટ સોશિયલ મીડિયામાં નાખે એમાં વાંધો શું છે? એવો સવાલ શિક્ષકો ઉપસ્થિત કરી રહ્યા છે.
મહારાષ્ટ્રના લાતૂરમાં જારી કરવામાં આવેલી આ સૂચનાના સમચાર સમગ્ર ભારતમાં એટલા વાઇરલ થયા છે કે શિક્ષકોમાં તો આ મુદ્દે ભારે ગરમાગરમી છે. શિક્ષકોની અભિવ્યક્તિની સ્વતંત્રતા પર લગામ સમાન આ ઘટના કમનસીબ ગણાવાય રહી છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
