તાપી મેગારિચાર્જ પ્રોજેક્ટ આવશે ત્યારે સૌને આશ્ર્ચર્ય થશે: ફડણવીસ
એક સમયે ચાર લાખ હેક્ટર જમીન માટે સિંચન સુવિધા ઉપલબ્ધ કરી દેનારો તાપી મેગારિચાર્જ પ્રકલ્પ પૂર્ણ થશે ત્યારે તે સૌને આશ્ર્ચર્યચક્તિ કરી દેશે, તેમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાવેર ખાતે વિજયસંકલ્પ સભામાં જણાવ્યું હતું.

જળગાંવ અને રાવેર ખાતે ઉન્મેશ પાટીલ અને રક્ષાતાઈ ખડસેના મતવિસ્તારમાં તેમની સભા યોજાઈ હતી. મહારાષ્ટ્રના સી.એમ. ફડણવીસે જણાવ્યું હતું કે તાપી નદી ખાતે પાડળસા ધરણનું કામ આપણી જ સરકારના હસ્તે પૂરું થશે. આ માટે રૂ. 2771 કરોડ મંજૂર થયા છે. આ પ્રોજેક્ટથી અંમળનેર તાલુકાના 67 ગામને લાભ મળશે.
તાપી રિચાર્જ પ્રકલ્પનો અહેવાલ તૈયાર થઈ રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અલગ જળશક્તિ મંત્રાલય સ્થાપન કરી તમામ પ્રકલ્પોની ખાસ કાળજી લેવાનું નક્કી કર્યું છે.
જળગાંવ જિલ્લાના ખેડૂતોને રૂ. 2300 કરોડની મદદ મળી છે. રાવેર ખાતે ફડણવીસે જણાવ્યું હતું કે રાજ્યમાં હાલમાં દુષ્કાળની સમસ્યા છે અને સરકારને તેની પૂર્ણ માહિતી છે.
અત્યાર સુધી 72 લાખ ખેડૂતના ખાતામાં દુષ્કાળ માટેની રાહતની રકમ જમા થઈ ચૂકી છે. કેન્દ્ર સરાકરે મહારાષ્ટ્રને અત્યાર સુધીની સૌથી મોટી મદદ કરી છે. આ ભાગમાં સિંચાઈ માટે મોટા કામ થઈ રહ્યા છે.
તાપી મેગા રિચાર્જ પ્રકલ્પ લોકોને અશક્ય લાગી રહ્યો છે, પરંતુ તે અમે હાથ ધરી રહ્યા છે, અને પૂરો થશે ત્યારે દુનિયાને અચરજ થશે. આ પ્રક્લ્પને લીધે કોઈ વિસ્થાપિત થશે નહીં. શેળગાંવ બેરેજ માટે રૂ. 770 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. ભુસાવળ ખાતે વીજનિર્માણનો પ્રકલ્પ સાકાર થઈ રહ્યો છે, તેમ પણ ફડણવીસે જણાવ્યું હતું.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
