
વારાણસીમાં કાશી વિશ્ર્વનાથ ધામના ઉદ્ઘાટન માટે લાડુઓ તૈયાર કરતા લોકો. વડા પ્રધાન મોદી Date 13/12/21 સોમવારે કાશી વિશ્ર્વનાથ ધામ કોરીડોરનું ઉદ્ઘાટન કરવાના છે.
ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) વારાણસીમાં (Varanasi) કાશી વિશ્વનાથ ધામના (Kashi Vishwanath Corridor) લોકાર્પણ માટેની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે. જો કે હવે કાશીની તસવીર નવા રૂપમાં જોવા મળશે. પીએમ મોદી 13 ડિસેમ્બર એટલે કે સોમવારે તેનું લોકાર્પણ કરશે. આ માટે, સીએમ યોગી આદિત્યનાથની (CM Yogi Adityanath) યોજના પર સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર કાશીને સુંદર બનાવવા માટે ઝડપથી કામ કરી રહ્યું છે.

આ સાથે કાશીના રહેવાસીઓએ પણ તેમના મહેમાનોના સ્વાગત માટે મંદિરો, કુંડો, ગંગા ઘાટ વગેરેની સફાઈ શરૂ કરી દીધી છે અને સમગ્ર શહેરને રોશનીથી શણગારવામાં આવી રહ્યું છે. હાલમાં લોકાર્પણ બાદ કાશી વિશ્વનાથનો પ્રસાદ ઘરે-ઘરે પહોંચાડવામાં આવશે. પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ શ્રી કાશી વિશ્વનાથ ધામ હવે તેના અંતિમ મુકામ તરફ છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 13 ડિસેમ્બરે તેમના સંસદીય ક્ષેત્રમાં આવશે અને શ્રી વિશ્વનાથ ધામને જનતાને સોંપશે.