CIA ALERT

UP Election Archives - CIA Live

March 6, 2022
voting.jpg
1min346

10/3/21: પાંચ રાજ્યોનું પરિણામ જાહેર થશે

મણીપુરમાં બીજા અને અંતિમ તબક્કામાં 76 ટકા મતદાન

દેશ પર પડકારો આવે છે ત્યારે વંશવાદીઓ પોતાનું રાજકીય હિત જુવે છે : મોદીએ બુદ્ધીજીવીઓ સાથે ચર્ચા કરી

મણીપુરમાં કેટલાક મતવિસ્તારોમાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે હિંસા, એકના મોતની સ્થિતિ તંગદીલ

વારાણસી : ઉત્તર પ્રદેશમાં છ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે જ્યારે હવે અંતિમ સાતમા તબક્કા માટે સાતમી માર્ચે મતદાન યોજાશે. સાતમા તબક્કામાં અંતિમ બાકી રહેલી 54 બેઠકો પર મતદાન થશે. આ બેઠકો કુલ નવ જિલ્લાને આવરી લેશે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મત વિસ્તાર વારાણસીનો પણ સમાવેશ થાય છે.

આ સાથે જ વિધાનસભાની એક મહિના સુધી ચાલેલી ચૂંટણીઓનો પણ અંત આવી જશે. આ સાથે જ એક મહિનો લાંબી ચાલેલી મતદાન પ્રક્રિયાનો પણ અંત આવશે જેની શરૂઆત 10મી ફેબુ્રઆરીએ થઇ હતી, કુલ પાંચ રાજ્યોમાં મતદાન પ્રક્રિયા આ સાથે જ પૂર્ણ થઇ જશે.

ત્રણ રાજ્યોમાં મતદાન પૂર્ણ થઇ ગયું હતું જ્યારે મણીપુરમાં બીજા અને અંતિમ તબક્કા માટે કુલ 76.04 ટકા મતદાન થયું છે. જેમાં સૌથી વધુ 82 ટકા મતદાન સેનાપતિ જિલ્લામાં થયું હતું. દરમિયાન મણીપુરમાં કેટલાક મતવિસ્તારોમાં ઘર્ષણ પણ જોવા મળ્યું હતું.

એવા આરોપો છે કે કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઇંફાલમાં ભારે ઘર્ષણ થયું હતું, જે દરમિયાન ભાજપના એક કાર્યકર્તાની હત્યા કરી દેવામાં આવી છે. 25 વર્ષીય એલ અમુબા સિંહ નામના આ વ્યક્તિની હત્યાને પગલે સમગ્ર વિસ્તારમાં તંગદીલીનો માહોલ છે.

હત્યાનો આરોપ ભાજપે કોંગ્રેસના એક કાર્યકર્તા પર લગાવ્યો છે. જ્યારે કેટલાક મતવિસ્તારોમાં હિંસાની ઘટના પણ સામે આવી હતી. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજા દિવસે પણ વારાણસીમાં જોવા મળ્યા હતા.

અગાઉ તેમણે અહી રોડ શો યોજ્યો હતો જ્યારે બીજા દિવસે શનિવારે મોદીએ વારાણસીના પદ્મશ્રી તેમજ પદ્મભુષણ એવોર્ડ વિજેતા બુદ્ધિજીવીઓની સાથે વાતચીત કરી હતી અને ઉત્તર પ્રદેશમાં ફરી ભાજપની સરકાર રચવા માટે જનતાને અપીલ કરી હતી.

મોદીએ કહ્યું હતું કે રાજ્યમાં જો સિૃથર સરકાર હશે તો મોટા અને સાહસીક નિર્ણયો લેવામાં સરકાર સક્ષમ રહેશે. તેમણે આરોપ લગાવ્યો હતો કે જ્યારે રાષ્ટ્રની સામે પડકારો આવે છે ત્યારે વંશવાદી પોતાનંુ રાજકીય હિત જ જોવે છે. 

ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા રીટા બહુગુણા જોશીના પુત્ર મયંક જોશી સમાજવાદી પાર્ટીમાં સામેલ થઇ ગયા છે. આઝમગઢમાં સપા વડા અખિલેશ યાદવની જાહેરીમાં તેઓ સપામાં સામેલ થયા હતા.