યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ સમારોહ (yogi adityanath swearing in ceremony)ની તારીખ આવી ગઈ છે. શુક્રવારે, ANIએ એક ટ્વિટ કર્યું, જેમાં તેણે 25 માર્ચે યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ સમારોહનો ઉલ્લેખ કર્યો. તેમણે પોતાના ટ્વિટમાં જણાવ્યું કે યોગી સાંજે 4 વાગ્યે યુપીના સીએમ તરીકે શપથ લેશે.
પાંચ વર્ષના સફળ કાર્યકાળ બાદ યુપીમાં સત્તામાં વાપસી કરીને 37 વર્ષ જૂની માન્યતાને તોડીને ભાજપ માટે ઈતિહાસ રચનાર સીએમ યોગી આદિત્યનાથના નેતૃત્વમાં બીજેપી સરકારનો બીજો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. આ સમારોહ 25 માર્ચેના શહીદ પથ ખાતે આવેલા ઇકાના સ્ટેડિયમમાં યોજાઈ શકે છે. શપથ ગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સાથે અન્ય મંત્રીઓ પણ શપથ લેશે. કેબિનેટમાં મહિલાઓ અને યુવાનો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. બપોરે શપથ ગ્રહણ સમારોહ યોજાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્ર સરકારના ઘણા મંત્રીઓ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય અને ભાજપના વરિષ્ઠ નેતાઓ શપથ ગ્રહણમાં હાજરી આપશે. ઈકના સ્ટેડિયમમાં પ્રસ્તાવિત શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કેબિનેટના સ્વરુપ અને કોને કોને સમાવવા તેને લઈને યોગી આદિત્યનાથ સાથે પાર્ટી નેતૃત્વએ પરામર્શ કરી લીધો છે અને તેમને અલગથી સૂચિત કરી દેવામાં આવશે. યુપીમાં સરકારની રચના માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રઘુવર દાસને અનુક્રમે નિરીક્ષક અને સહ-નિરીક્ષક બનાવવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ગોરખપુરથી લખનૌ પહોંચશે ત્યારે શપથ ગ્રહણ કરનાર મંત્રીઓની યાદી બનાવવામાં આવશે.
