Sumul ghari Archives - CIA Live

October 18, 2024
sumul-ghari-24.png
1min157

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ચંદી પડવાએ સુરતમાં ખવાતી ઘારી પૈકીની 70-75 ટકા ઘારી સુરતની સુમુલ ડેરી દ્વારા બનાવવામાં આવેલી હોય છે. ટૂંકમાં કહીએ તો સુમુલ ડેરીએ ઘારીનું 70-75 ટકા માર્કેટ સર કર્યું છે, જ્યારે બાકીની 25 ટકા ઘારીએ સ્થાનિક મીઠાઇની દુકાનવાળાઓ, જુદી જુદી મંડળીઓ વગેરે દ્વારા બનાવીને બજારમાં વેચવા મૂકાય છે.

આ વખતે 2024ના ચંદી પડવાએ સુમુલ ડેરી દ્વારા કમસેકમ 95 ટન જેટલી ઘારી એકલે હાથે બનાવીને બજારમાં મૂકી છે અને જે પણ કાઉન્ટર પર સુમુલ ડેરીની ઘારી વેચાવા મૂકી છે ત્યાંથી એ ચપોચપ ઉપડી ગઇ છે કેમકે ઘારીના એડવાન્સ ઓર્ડર જ એટલા હતા કે સ્ટોક મૂકાય એટલે વેચાઇ જાય છે.

સુરતીઓને સુમુલ ડેરીની ઘારી જ કેમ પસંદ એ અંગે જ્યારે સુમુલ ડેરીના રિટેલ કાઉન્ટર પરથી ઘારી ખરીદવા માટે આવેલા મહિલા નિકીતા શાહે જણાવ્યું કે સુમુલ ડેરીની ઘારી તેઓ છેલ્લા દસેક વર્ષથી આરોગી રહ્યા છે. તેઓ વિદેશમાં પણ પોતાના સગાસબંધીઓને સુમુલ ડેરીની જ ઘારી મોકલે છે. સુમુલની ઘારી એટલા માટે કે સુમુલ સહકારી ક્ષેત્રને અત્યંત વિશ્વસનીય સંસ્થા છે અને પોતાના જ દૂધ, શુધ્ધ ઘી તથા ઉચ્ચ ક્વોલિટીના ડ્રાયફ્રુટમાંથી સુમુલ ડેરી દ્વારા ફ્રેશ ઘારી તૈયાર કરીને બજારમાં મૂકવામાં આવે છે. ઘારીની બનાવટમાં જે પણ કોઇ મટીરીયલ વાપરવામાં આવે છે તેનું લેબોરેટરી પરીક્ષણ કરીને એ વાત નિશ્ચિત કરવામાં આવે છે કે જે તે મટિરિયલ હેલ્ધી છે કે નહીં. જો હેલ્ધી ન હોય તો જે તે ખરીદીનો સ્ટોક રિજેક્ટ કરી દેવામાં આવે છે. આ પ્રકાર ડિટેલ માહિતી કેવી રીતે જાણો છો તેવું પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેઓ શિક્ષક છે અને અગાઉ તેમની શાળાના બાળકો સાથે સુમુલ ડેરીની મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે તેમને આ પ્રકારની માહિતી શેર કરવામાં આવી હતી.

આ પ્રકારનો રિવ્યુ સુમુલની ઘારી ખાનારા દરેક ગ્રાહકો પાસેથી મળી રહ્યો છે એટલે જ સુમુલ ડેરીએ ઘારીના માર્કેટમાં 75 ટકા જેટલો હિસ્સો સર કરી લીધો છે. અનેક લોકો સુમુલ ડેરીની ઘારી એટલા માટે પણ ખરીદી રહ્યા છે કેમકે સુમુલ ડેરીની ઘારીના ભાવ અને બજારમાં મળતી અન્ય ઘારીના ભાવમાં પણ ખાસ્સો ફરક છે. સુમુલ ડેરીની ઘારી સસ્તામાં સસ્તા દરે અને સારી ક્વોલિટીની હોવાથી સુરતીઓની મનપસંદ બની છે.

October 8, 2022
sumullogo.jpg
1min459

જયેશ બ્રહ્મભટ્ટ

સુરતીઓનો પોતિકો પર્વ એટલે ચાંદની પડવો. શરદપૂર્ણિમાના બીજા દિવસને ચાંદની પડવો કે ચંદની પડવો તરીકે ગુજરાતી કેલેન્ડરમાં નિર્દેશિત કરવામાં આવે છે. ચંદની પડવો એટલે સુરતીઓનો પોતિકો તહેવાર. ઘારી એટલે સુરતની પોતાની ઓળખ. વિશ્વ આખાને ઘારી બનાવતા સુરતે શીખવાડ્યું છે, અને હવે સુરતની પોતિકી સુમુલ ડેરીની ઘારી એટલે નંબર વન.

સુમુલ ડેરીના માર્કેટિંગ હેડ મનિષભાઇ ભટ્ટના જણાવ્યા પ્રમાણે સુમુલ ડેરી આ વખતે 100 ટન જેટલી ઘારીનું વેચાણ કરશે. તેમાંથી અત્યાર સુધીમાં 85 ટન જેટલી ઘારી તો વેચાઇ ચૂકી છે. આ પૈકી 12 ટન ઘારી સુગર ફ્રી (ખાસ કરીને ડાયાબિટીસથી પીડાતા લોકો માટે, હેલ્થ કોન્સીયસ લોકો માટે) બનાવવામાં આવી હતી, સુગર ફ્રી ઘારીનો જથ્થો ચપોચપ વેચાઇ ચૂક્યો હોવાનું મનિષભાઇએ જણાવ્યું હતું. હજુ બે દિવસમાં 15 ટન જેટલી ઘારી સુમુલની વેચાઇ જશે તેવો અંદાજ છે.

ચંદી પડવાને હજુ 24 કલાકનો સમય બાકી છે ત્યારે સુમુલ ડેરીની ઘારી એકલા સુરતમાં જ નહીં પણ મુંબઇ અને દિલ્હી સહિત દેશના ખૂણેખૂણે પહોંચી ગઇ છે. સુરતીઓ પોતાના વહેવારને સાચવવા માટે પણ અરસપરસ ઘારી આપી રહ્યા છે. આ વખતે મળી રહેલા અંદાજો અને એડવાન્સ્ડ ઓર્ડરને જોતા સુમુલ ડેરીની ઘારીનું વિક્રમી વેચાણ થશે તેમાં બેમત નથી.

સુમુલ ડેરીની ઘારી અંગે ડેરીના માર્કેટિંગ હેડ મનિષભાઇ ભટ્ટે જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વખતે પણ આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના લોકોને મન સુમુલ ડેરીની ઘારીની વિશ્વસનીયતા સૌથી વધુ છે અને એટલે જ લોકોએ આ વખતે ઘારીના એડવાન્સ્ડ ઓર્ડર આપ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી સુમુલ ડેરીના તંત્રએ ઘારી બનાવવા માટે જડબેસલાક વ્યવસ્થા તંત્ર ગોઠવ્યું છે અને જે ઓર્ડર મળ્યા છે તેને સમયસર ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે.