CIA ALERT

SMC Archives - CIA Live

February 4, 2022
aap.jpg
1min431

સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણી (Mahesh Savani)એ પક્ષને અલવિદા કહ્યા બાદ હવે સુરતમાં આમ આદમી પાર્ટી (Surat Aam aadmi party) ના ચાર કોર્પોરેટરો રાજીનામું આપશે તેવી અટકળોએ જોર પકડ્યું છે. 

સુરતના આમ આદમી પાર્ટીનાં 3 મહિલા કોર્પોરેટર ઋતા દુધાગરા, જ્યોતિકા લાઠિયા અને ભાવના સોલંકી ભાજપમાં જોડાવાના છે તેવી જોરદાર અટકળો ચાલી રહી છે. AAPના ત્રણેય મહિલા કોર્પોરેટર ગમે ત્યારે રાજીનામું આપી ભગવો ધારણ કરે તેવી શક્યતા સેવાઈ રહી છે.

વોર્ડ નંબર 16ના કોર્પોરેટર વિપુલ મોવલિયા સામે પણ પાર્ટી શિસ્ત ભંગના પગલાં લઈ શકે છે તેવી ચર્ચા છે. પક્ષે હાલ તેમને નોટિસ ફટકારી તેમને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ તેમને કાઢી કેમ ના મૂકવા તેવો સવાલ કરી તેમની પાસેથી ખુલાસો કર્યો છે.

AAP પક્ષના નેતાઓ કબૂલી રહ્યા છે કે વિપુલ મોવલિયા સહિતના ચાર કોર્પોરેટરો હાલ સંપર્ક વિહોણા છે. તેમનો એવો પણ આક્ષેપ છે કે આ ચારેય આમ આદમી પાર્ટીના સિદ્ધાંતોની વિરુદ્ધ શાસક પક્ષ સાથે મળીને ભ્રષ્ટાચાર આચરવાના પ્રયાસ કરી રહ્યા હતા. જેના બદલ પક્ષે તેમની સામે કાર્યવાહી કરતાં તેમને નોટિસ ફટકારીને ખુલાસો પૂછ્યો છે.