CIA ALERT
19. May 2024

Professor of Practice Archives - CIA Live

October 5, 2023
kanji_bhalala_cialive.jpg
1min1563

સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ હોય કે વરાછા કો.ઓ. બેંક હોય કે પછી સ્વયંભુ નાગરીક અભિયાન હોય, દરેક સકારાત્મક બાબતોના પ્રણેતા કાનજીભાઇ ભાલાળાને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પ્રોફેસર ઓફ પ્રેક્ટીસનું બહુમાન એનાયત કર્યું છે. પ્રોફેસર ઓફ પ્રેક્ટીસ એટલે એવા નિવડેલા વ્યક્તિ કે જેને કોલેજના વર્ગખંડમાં જઇને શિક્ષણ કાર્ય કરાવવું હોય તો કોઇ ડિગ્રીની જરૂર નથી. એ વ્યક્તિત્વ સ્વયંભુ અધ્યાપકનું વ્યક્તિત્વ ધરાવતો હોય છે. આ પ્રકારની પદવી માટે કાનજીભાઇ ભાલાળાના નામની ભલામણ વરાછાની ધારુકાવાલા કોલેજ તરફથી કરવામાં આવી હતી જેને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા મંજૂર રાખવામાં આવી છે.

કાનજીભાઇ ભાલાળા હવે વીર નર્મદ યુનિવર્સિટીની કોલેજમાં જઇને કોલેજીયન યુવક યુવતિઓને દુનિયાદારીના પાઠ ભણાવી શકશે.