CIA ALERT

Monetarypolicy Archives - CIA Live

April 8, 2022
rbi.png
1min420

ભારતીય રિઝર્વ બૅન્ક (આરબીઆઇ) દ્વારા આઠ એપ્રિલે જાહેર થનારા બૅન્કના વ્યાજદર પર ઉદ્યોગ ક્ષેત્ર સહિત સામાન્ય જનતા મીટ માંડીને બેઠી છે.

કોવિડ-૧૯ના રોગચાળા, રશિયા-યુક્રેનના યુદ્ધ અને ક્રૂડના વધી રહેલા ભાવ જેવી અનેક મુશ્કેલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રિઝર્વ બૅન્ક દ્વારા વ્યાજદર યથાવત રાખવામાં આવે એવી શક્યતા વધુ છે.વ્યાજદર નક્કી કરતી આરબીઆઈની મનેટરી પૉલિસી કમિટી (એમપીસી)ની બેઠક છએપ્રિલે શરૂ થઇ હતી.  બેઠકમાં લેવાયેલા નિર્ણયની આઠ એપ્રિલે જાહેરાત કરવામાં આવશે. 

વ્યાજદરની સમીક્ષા કરવા યોજવામાં આવનારી આ બેઠકમાં આરબીઆઈ વ્યાજદર યથાવત રાખે તેવી શક્યતા છે. 
જોકે, રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે સર્જાયેલી વૈશ્ર્વિક અચોક્કસતા વચ્ચે આરબીઆઈ રિટેલ ફુગાવા અંગે તેનું વલણ બદલે તેવી શક્યતા છે. 

અર્થશાસ્ત્રી આદિત્ય નાયરે કહ્યું હતું કે એમપીસીની આ સમીક્ષા બેઠકમાં ફુગાવા આધારિત ક્ધઝ્યૂમર પ્રાઈસ ઈન્ડેક્સ (સીપીઆઈ)માં સુધારો કરવામાં આવે એવી શક્યતા છે. ફુગાવાને અંકુશમાં લેવા એમપીસી વિકાસનું બલિદાન આપે તેવી શક્યતા નથી. 

વર્તમાન અચોક્કસતાને ધ્યાન પર લેતાં આર્થિક નીતિ વધુ કડક કરવા આરબીઆઈ પાસે મર્યાદિત અવકાશ છે, એમ એનાલિટિકલ ઑફિસર સુમન ચૌધરીએ કહ્યું હતું.  

December 8, 2021
rbi.jpeg
1min437

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે જાહેરાત કરી છે કે રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેમની મોનેટરી પોલિસી સમીક્ષાના પરિણામો જાહેર કરતા દાસે કહ્યું કે પોલિસી રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રેપો રેટ 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા પર યથાવત રહેશે. નોંધનીય છે કે, ગયા વર્ષે માર્ચમાં આરબીઆઈએ રેપો રેટમાં 0.75 ટકા અને મેમાં 0.40 ટકાનો ઘટાડો કર્યો હતો. આ ઘટાડા પછી રેપો રેટ 4 ટકાના રેકોર્ડ નીચલા સ્તરે આવી ગયો હતો. પરંતુ ત્યાર પછી નવ બેઠકોમાં વ્યાજદરમાં કોઈ ફેરફાર થયો નથી.

શક્તિકાંત દાસે કહ્યું કે, MPCના 6 સભ્યોમાંથી 5એ એકમોડેટીવ સ્ટેન્ડ જાળવવાના પક્ષમાં મતદાન કર્યું હતું. ઉપરાંત માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી 4.25 ટકા પર જાળવી રાખવામાં આવી છે. વાસ્તવિક જીડીપી વૃદ્ધિનો અંદાજ 9.5 ટકા રાખવામાં આવ્યો છે. પરંતુ નાણાકીય વર્ષ 2022ના ત્રીજા ક્વાર્ટર માટે તે ઘટાડીને 6.6 ટકા કરવામાં આવ્યું છે. અગાઉ તે 6.8 ટકા હતો. તેમજ ચોથા ક્વાર્ટર માટે તેને 6.1 ટકાથી ઘટાડીને 6 ટકા કરવામાં આવ્યો છે.

વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન થવાથી તમારા ખિસ્સા પર કોઈ અસર નહીં થાય. જો રિઝર્વ બેંક વ્યાજ દર વધારશે તો લોન મોંઘી થઈ જશે. બીજી બાજુ, જો રિઝર્વ બેંકે વ્યાજદરમાં ઘટાડો કર્યો હોત તો તેનાથી લોન સસ્તી થઈ ગઈ હોત.

દાસે જણાવ્યું કે, તાજેતરમાં જ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ ઘટાડ્યો છે, જેનાથી ગ્રાહકોની ખરીદીની ક્ષમતા વધી છે. શક્તિકાંત દાસે જણાવ્યું કે, આપણી પાસે મજબૂત બફર સ્ટોક છે, જેનાથી મોંઘવારી પર કાબૂ મેળવી શકાય છે. કોવિડ-19 જેવી મહામારી સામે લડવા માટે અમે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. હાલ ઘરેલૂ અર્થવ્યવસ્થા પર ઓમિક્રોનનો ખતરો મંડાઈ રહ્યો છે.