Lunar Eclipse 2026: Archives - CIA Live

June 9, 2026
image-4.png
1min8

વર્ષ 2026માં બે ગ્રહણ લાગી ચૂક્યા છે અને હજુ બે ગ્રહણ લાગવાના બાકી છે. ચિંતાની વાત એ છે કે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ રક્ષાબંધનના દિવસે જ લાગવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં સૌથી મોટો સવાલ એ છે કે હવે રક્ષાબંધન કેવી રીતે ઉજવાશે? રાખડી ક્યારે બાંધવામાં આવશે અને રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત શું છે?

જો તમારા મનમાં પણ આ તમામ મૂંઝવણો અને સવાલો હોય, તો આ સમાચાર ખાસ તમારા માટે જ છે. આ અહેવાલ વાંચીને તમે તમારી તમામ શંકાઓ દૂર કરી શકો છો. હિન્દુ ધર્મમાં દરેક શુભ કાર્ય કરવા માટે શુભ મુહૂર્ત જોવામાં આવે છે અને ગ્રહણ કાળ દરમિયાન કોઈપણ શુભ કે માંગલિક કાર્ય કરવામાં નથી આવતું.

વર્ષ 2026માં રક્ષાબંધનનો તહેવાર 28મી ઓગસ્ટે ઉજવવામાં આવશે. આ જ દિવસે પૂર્ણ ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યું છે. આ ચંદ્રગ્રહણ કુંભ રાશિમાં લાગશે. બીજી તરફ વૈજ્ઞાનિક ભાષામાં તેને બ્લડ મૂન કહેવામાં આવશે. આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ હશે.

ભારતીય સમય પ્રમાણે આ ચંદ્રગ્રહણ 28 ઓગસ્ટના રોજ સવારે 6:53 વાગ્યે શરૂ થશે અને બપોરે 12:32 વાગ્યે પૂર્ણ થઈ જશે. આ ચંદ્રગ્રહણ દિવસે લાગી રહ્યું હોવાથી તે ભારતમાં નહીં દેખાશે.

આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું ન હોવાથી તેનો સૂતક કાળ પણ માન્ય ગણાશે નહીં. તેથી રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં કોઈ જ અડચણ આવશે નહીં અને બહેનો કોઈપણ પ્રકારની બાધા વિના પોતાના ભાઈઓને રાખડી બાંધી શકશે.

આ વર્ષે 28 ઓગષ્ટના રોજ રક્ષાબંધન પર રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત સવારે 6:10 વાગ્યાથી 9:48 વાગ્યા સુધી રહેશે. ત્યારબાદ રાહુકાળ શરૂ થતો હોવાથી તે સમયગાળામાં રાખડી બાંધવી અશુભ ફળ આપી શકે છે. બીજી તરફ રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની પૂર્ણિમાએ ઉજવવામાં આવે છે, જે આ વર્ષે 27 ઓગસ્ટ 2026ની સવારે 9:09 વાગ્યાથી શરૂ થઈને 28 ઓગસ્ટ 2026ની સવારે 9:48 વાગ્યા સુધી રહેશે.

આ ચંદ્રગ્રહણ મુખ્યત્વે પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, યુરોપ, આફ્રિકા અને અમેરિકાના કેટલાક ભાગોમાં દેખાશે.