CIA ALERT

Kharmas 2025 Archives - CIA Live

December 14, 2025
image-7.png
1min27

હિન્દુ ધર્મમાં લગ્ન અને અન્ય માંગલિક કાર્યો હંમેશા શુભ મૂહુર્તમાં જ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, શુભ સમયે કરવામાં આવતા કાર્યો દેવતાઓના આશીર્વાદ અને ગ્રહોના અનુકૂળ પ્રભાવથી સફળ થાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવે છે. પરંતુ ખરમાસ શરૂ થતાંની સાથે જ, લગ્ન, મુંડન જેવા મોટા માંગલિક કાર્યો પર રોક લાગી જાય છે. આ વર્ષે ખરમાસ 16 ડિસેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે, તેથી આ સમયગાળા દરમિયાન લગ્ન નહીં થશે.

આ ઉપરાંત ખરમાસ પહેલા જ અન્ય એક કારણસર લગ્ન પર વિરામ લાગી જશે. વાસ્તવમાં 11 ડિસેમ્બર, 2025ના રોજ શુક્ર ગ્રહ અસ્ત થઈ ચૂક્યો છે. શુક્રને પ્રેમ, વૈવાહિક સુખ અને લગ્નનો કારક ગ્રહ માનવામાં આવે છે. શુક્રના અસ્ત થવાના કારણે પણ લગ્ન માટે શુભ મૂહુર્ત નથી આવતા. આમ 11 ડિસેમ્બર, 2025થી લગ્ન સમારોહ પર રોક લગી ચૂકી છે. હવે સવાલ એ છે કે આ રોક કેટલો સમય ચાલશે અને ફરીથી લગ્નના શુભ મૂહુર્ત ક્યારથી શરૂ થશે.

ખરમાસ 15 જાન્યુઆરી, 2026ના રોજ સમાપ્ત થઈ જશે, જે પછી સામાન્ય રીતે શુભ કાર્યોની શરૂઆત થઈ જાય છે. પરંતુ આ વખતે લગ્ન પ્રસંગ માટે થોડી વધુ રાહ જોવી પડશે. વાસ્તવમાં શુક્ર ગ્રહ 53 દિવસ સુધી અસ્ત રહેશે અને 1 ફેબ્રુઆરી, 2026ના રોજ ફરીથી ઉદય કરશે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે શુક્ર ઉદય પછી જ લગ્ન અને અન્ય માંગલિક કાર્યો શરૂ કરવામાં આવે છે. તેથી લગ્નની સિઝન ફેબ્રુઆરી 2026થી જ શરૂ થશે.

ફેબ્રુઆરી 2026માં લગ્ન માટે કુલ 12 શુભ મૂહુર્ત છે. જેની તારીખો આ પ્રમાણે છે – 5 ફેબ્રુઆરી, 6 ફેબ્રુઆરી, 8 ફેબ્રુઆરી, 10 ફેબ્રુઆરી, 12 ફેબ્રુઆરી, 14 ફેબ્રુઆરી, 19 ફેબ્રુઆરી, 20 ફેબ્રુઆરી, 21 ફેબ્રુઆરી, 24 ફેબ્રુઆરી, 25 ફેબ્રુઆરી અને 26 ફેબ્રુઆરી.

વસંત પંચમી પર લગ્ન કેમ નહીં થશે

સામાન્ય રીતે વસંત પંચમીને લગ્ન માટે ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે, કારણ કે તે સિદ્ધ અને અબૂઝ મુહૂર્ત હોય છે. પરંતુ 2026માં વસંત પંચમી પર લગ્ન માટે કોઈ શુભ મુહૂર્ત રહેશે નહીં. કારણ કે 23 જાન્યુઆરીએ આવતી વસંત પંચમી શુક્રના અસ્તના સમયગાળા દરમિયાન આવશે અને આ દરમિયાન લગ્ન કરવા અશુભ માનવામાં આવે છે.