Jayesh Brahmbhatt 98253 44944
નાણામંત્રાયલે ખુબ જ શોર્ટ નોટિસથી આવતીકાલ તા.31મી ડિસેમ્બર 2021ના રોજ જીએસટી કાઉન્સિલની મિંટીગ યોજી છે. આ મિટીંગનો ઉદેશ કેન્દ્ર સરકાર સામે વિકસી રહેલા વધુ એક દેશવ્યાપી આંદોલનને થાળે પાડવાનો હોવાના સ્પષ્ટ સંકેત સમાન છે. ફક્તને ફક્ત ટેક્ષટાઇલ અને ફૂટવેયરમાં ઇન્વર્ટેડ ટેક્સ સ્ટ્રક્ચરના મુદ્દે તા.1લી જાન્યુઆરી 2022 પહેલા કોઇ નિર્ણય લઇ શકાય એ માટે જ જીએસટી કાઉન્સિલની તાકીદની અને શોર્ટ નોટિસથી મિટીંગ યોજવામાં આવી છે.
વિકલ્પ -1
જીએસટી કાઉન્સિલની તા.31મી ડિસેમ્બરે મળનારી મિટીંગમાં ટેક્ષટાઇલ અને ફૂટવેર ઇન્ડસ્ટ્રીઝમાં હાલ પ્રવર્તમાન ઇન્વર્ટેડ ટેક્સ સ્ટ્રક્ચર દૂર કરીને 12 ટકા ફ્લેટ દરે જીએસટી વસુલ કરવા સંદર્ભે ગઇ તા.18મી નવેમ્બર 2021ના રોજ જાહેર કરાયેલા નોટિફિકેશનનો અમલ તા.1લી જાન્યુઆરી 2022થી નહીં પરંતુ, તેને ત્રણેક મહિના એટલે કે તા.31મી માર્ચ 2022 સુધી મુલતવી રાખીને એ સમયગાળા દરમિયાન સ્ટેક હોલ્ડર્સ સાથે વિચાર વિમર્શ કરીને તા.1લી એપ્રિલ 2022થી કપડા ઉદ્યોગ અને ફૂટવેર ઉદ્યોગમાં નવું ટેક્સ સ્ટ્રક્ચર લાગૂ કરવાનો નિર્ણય લેવાય શકે છે.
વિકલ્પ -2
જીએસટી કાઉન્સિલ એવો પણ નિર્ણય લઇ શકે કે કપડા અને ફૂટવેર ઉધોગમાં 12 ટકા જીએસટીના અમલ કરવા અંગે તા.18મી નવેમ્બરના રોજ જાહેર કરાયેલા નોટિફિકેશનને કાયમી રીતે રદબાતલ કરીને પ્રવર્તમાન ટેક્સ સ્ટ્રક્ચરનો અમલ યથાવત રાખવામાં આવે.
બે વિકલ્પ સિવાય ત્રીજો વિકલ્પ માટે તાકીદની મિટીંગ યોજાઇ જ ન હોત
જીએસટી કાઉન્સિલ જો 18 નવેમ્બરના નોટિફિકેશનનો અમલ કરાવવા માંગતી જ હોત તો આવતીકાલ તા.31મી ડિસેમ્બરે શોર્ટ નોટિસથી મિટીંગ યોજવાનો કોઇ મતલબ કે હેતુ જ ના હોત
ટૂંકમાં એ વાત કન્ફર્મ છે કે ક્યાં તો 12 ટકા જીએસટી જાહેરનામાનો અમલ મુલતવી રાખવામાં આવે અથવા તો જાહેરનામું જ રદ કરીને પ્રવર્તમાન ટેક્સ સ્ટ્રક્ચર યથાવત રાખવામાં આવે. જાણકારો કહે છે કે નોટિફિકેશન રદ કરવા જેવું પગલું કેન્દ્ર સરકાર કે કાઉન્સિલ નહીં ભી શકે. પરંતુ, ત્રણેક મહિના મુલતવી રાખીને સ્ટેક હોલ્ડર્સ સાથે વિચાર મંથન કરીને બાદમાં તેનો અમલ કરવામાં આવે.
ટેક્સટાઇલ માર્કેટોએ આજે 30 સજ્જડ બંધ પાળ્યો
12 ટકા જીએસટીના વિરોધમાં સુરત શહેરની 98 ટકા જેટલી ટેક્ષટાઇલ માર્કેટોના વેપારીઓએ આજે તા.30મી ડિસેમ્બર 2021ના રોજ દુકાનો બંધ રાખીને સજ્જડ બંધ પાળ્યો હોવાના અહેવાલો મળ્યા છે. દરમિયાન ફેડરેશન ઓફ ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસીએશન (ફોસ્ટા) મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે જીએસટી દર ન વધારવા માટે અમે એક દિવસ માટે ટોકન સ્ટ્રાઇક રાખી છે. અમે અમારી વાત જીએસટી કાઉન્સિલ સુધી પહોંચાડવાના પ્રયાસ કરી રહ્યા છીએ. અમારા આ બંધના એલાનમાં કોઈપણ પ્રકારનું કોઈનું રાજકીય હિત નથી. માત્ર ને માત્ર વેપારી સંગઠનો જ સક્રિય છે અને અમને પૂરતી અપેક્ષાઓ છે કે અમારા સ્થાનિક ધારાસભ્ય અને ટેક્સટાઇલમંત્રીની રજૂઆતને કારણે જીએસટી કાઉન્સિલ લીધેલા નિર્ણયમાં તેઓ ફરી એક વખત ફેરવિચારણા કરશે. તમામ વેપારી સંગઠનો કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને કોઈપણ જગ્યાએ મોટી સંખ્યામાં એકત્રિત થવાના નથી.
થાળી વગાડી, કાળા વાવટી બતાવીને જીએસટીનો વિરોધ
