CIA ALERT

IDI Archives - CIA Live

July 23, 2024
dinesh-navadia-1280x1920.jpg
1min217

ઇન્ડીયન ડાયમંડ ઇન્સ્ટીટ્યુટના ચેરમેન અને અગ્રણી હીરા ઉદ્યોગપતિ દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે આજના બજેટમાં હીરા ઝવેરાત ઉદ્યોગને ફાયદો થાય તેવી અનેક જોગવાઇ કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કરી છે. ખાસ કરીને સોના પરથી આયાત ડ્યૂટી 6 ટકા ઘટાડવાની જોગવાઇ, હીરાના ઓનલાઇન ટ્રેડિંગ પરથી 2 ટકા ઇક્વિલાઇઝેશન લેવી દૂર કરવાની જોગવાઇ તેમજ વિદેશી માઇનિંગ કંપનીઓ ડાયરેક્ટ ભારતમાં રફ હીરાનું વેચાણ કરી શકે તેવી જોગવાઇને કારણે સમગ્ર ઉદ્યોગમાં ખુશીનો માહોલ છવાયો છે.