HMPV Archives - CIA Live

January 9, 2025
hmpv.jpg
5min167
  • 1. એચએમપી વાઇરસ એટલે?

એચએમપી વાઇરસ એટલે હ્યુમન મેટાન્યૂમો વાઇરસ. યુએસ સેન્ટર્સ ફૉર ડિસીઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન અનુસાર આ વાઇરસ શ્વસન સંવેદનાત્મક વાઇરસ (RSV) સાથે ન્યુમોવિરિડે પરિવારનો છે.

નિષ્ણાતોનું કહેવું છે કે આ વાઇરસ 200 થી 400 વર્ષ પહેલાં પક્ષીઓમાંથી પેદા થયો હતો. પરંતુ ત્યારથી આ વાઇરસ વારંવાર વિકસિત થઈ રહ્યો છે. હાલમાં પક્ષીઓ આ વાઇરસથી સંક્રમિત નથી.

  • 2. એચએમપી વાઇરસ શું છે?

હ્યુમન મેટાન્યૂમો વાઇરસ(એચએમપી વાઇરસ)ની પ્રથમ ઓળખ 2001માં નૅધરલૅન્ડ્સમાં થઈ હતી. જેના કારણે લોકોને તાવ, ઉધરસ, નાક બંધ થવું અને કેટલાકને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થઇ હતી. જેમ આ વાઇરસની અસર વધે છે તેમ દર્દીઓમાં તે બ્રૉન્કાઇટિસ અથવા ન્યુમોનિયાનું કારણ બની શકે છે. નાનાં બાળકો, વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો આનાથી વધુ અસરગ્રસ્ત થઈ શકે છે.

  • 3. ભારતમાં કેટલા કેસ નોંધાયા છે?

ભારતમાં હ્યુમન મેટાન્યૂમો વાઇરસ(એચએમપીવી)ના અત્યાર સુધીમાં ત્રણ કેસ નોંધવામાં આવ્યા છે. બેંગલુરુમાં નિયમિત પરીક્ષણોમાં ICMRને બે કેસ મળી આવ્યા હતા. જ્યારે ગુજરાતનાં આરોગ્ય પ્રધાન રૂષિકેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં બે મહિનાના બાળકમાં આ વાઇરસનાં લક્ષણો દેખાયાં છે.

  • 4. HMP વાઇરસનાં લક્ષણો શું છે?

તાવ
ખાંસી, બંધ નાક
ગળામાં તકલીફ
શ્વાસ લેવામાં તકલીફ
બ્રૉન્કાઇટિસ અથવા ન્યુમોનિયાનું જોખમ

  • 5. શું HMP વાઇરસ નવો છે?

દિલ્હીની શ્રી ગંગારામ હૉસ્પિટલના બાળરોગ વિભાગના ડૉ. સુરેશ ગુપ્તાએ પીટીઆઈને જણાવ્યું કે “HMP વાઇરસ નવો નથી. છેલ્લાં 20 વર્ષથી લોકો આ વાઇરસથી વાકેફ છે અને શિયાળા દરમિયાન આ ચેપના કેસ નોંધાય છે. આ ફ્લૂના વાઇરસ જેવો જ છે.”

  • 6. HMP વાઇરસની ઓળખ ક્યારે થઈ?

આ વાઇરસની માણસોમાં પ્રથમવાર ઓળખ 2001માં થઈ હતી
યુએસ સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન(સીડીસી) એ જણાવ્યું કે “આ વાઇરસની માણસોમાં પ્રથમવાર ઓળખ 2001માં થઈ હતી.”

  • 7. શું HMP વાઇરસ કોરોના સમાન છે?

નિપાહ અને અન્ય ચેપી રોગ માટે બનેલા કેરળનાં વન હેલ્થ સેન્ટરના નોડલ ઑફિસર ડૉ. ટી.એસ. અનીશે જણાવ્યું હતું કે “એચએમપી વાઇરસ અને કોવિડ-19 બંને અલગ છે.”

“કોવિડ-19 એક નવો જ વાઇરસ હતો. આ કારણોસર કોઈપણ વ્યક્તિમાં તેનો સામનો કરવાની પ્રતિરોધ ક્ષમતા નહતી.

અહેવાલ પ્રમાણે તબીબી નિષ્ણાતો કહે છે કે એચએમપી વાઇરસ રોગચાળો ફાટી નીકળશે એવી ચિંતા કરવાની જરૂર નથી. એવું કહેવાય છે કે તે કોરોના જેવી નવી બીમારી નથી અને તે કોઈ અસાધ્ય રોગ પણ નથી.

જો કે માનવ મેટાન્યુમો વાઇરસ અને કોવિડ-19 બંને ચેપી છે અને શ્વસનતંત્રને અસર કરે છે. બંનેની વિશેષતાઓ સમાન છે. બંને વાઇરસ એક જ રીતે ફેલાઇ છે. કોવિડ-19થી વિપરીત એચએમપી વાઇરસની સારવાર માટે કોઈ ઍન્ટિવાયરલ થેરાપી અથવા રસીનું નિર્માણ નથી થયું.

કોવિડ-19થી વિપરીત એચએમપી વાઇરસ સિઝનમાં જ આવે છે. આ રોગનાં લક્ષણો શિયાળા અને વસંતમાં જોવાં મળે છે.

અભ્યાસોએ દર્શાવ્યું છે કે, કોવિડ-19 પછી કેટલાક દેશોમાં એચએમપી વાઇરસના કેસોમાં ત્રણ ગણો વધારો થયો છે. જ્યારે કોવિડ-19 નિવારણનાં પગલાં અમલમાં હતાં ત્યારે લોકો આ પ્રકારના શ્વસન રોગોથી પ્રભાવિત થતા નથી. પરંતુ આ પગલાં હળવા થયા પછી એચએમપીવી જેવા શ્વસન રોગો બહાર દેખાવા માંડ્યા.

ક્રિશ્ચિયન મેડિકલ કૉલેજ, વેલ્લોરના ડૉ. ગગનદીપ કાંગે જણાવ્યું હતું, “પાંચ વર્ષની ઉંમર બાદ બાળકને આ વાઇરસ સામે સંપૂર્ણ રોગપ્રતિકારક શક્તિ મળે છે.”

‘ખેતરોમાં સાત ફૂટ પાણી ભરાઈ ગયું’ – રાજસ્થાનમાં જમીનમાંથી ખરેખર સરસ્વતી નદી નીકળી?

  • 8. શું HMP વાઇરસ જીવલેણ છે?

આ વાઇરસ વિશે જાતજાતની વાતો થાય છે. આની ઓળખ 15 થી 16 વર્ષ પહેલાં થઈ હતી. જાણીતા વાઇરોલૉજિસ્ટ ડૉ. વી. રવિએ જણાવ્યું હતું, “આ એક મોસમી ચેપ છે.” તેમણે કહ્યું,”તે ઇન્ફલ્યુએન્ઝાના કેસ સાથે પણ જોવા મળે છે. બાળકોને મોટે ભાગે આનો ચેપ લાગે છે.”

આરોગ્ય સેવાઓના મહાનિર્દેશક અતુલ ગોયલે જણાવ્યું,” એચએમપી વાઇરસ એ એક સામાન્ય વાઇરસ છે જે ભારતમાં શરદી અને ફ્લૂ જેવાં લક્ષણોનું કારણ બને છે. આમાં ડરવાની કોઈ જરૂર નથી. આ એક સામાન્ય વાઇરસ છે જે શ્વસન સંબંધી સમસ્યાઓનું કારણ બને છે અને હળવા ગુણધર્મો ધરાવે છે. દેશની હૉસ્પિટલો મોસમી રોગોનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.”

  • 9. એચએમપી વાઇરસ કેવી રીતે ફેલાય છે?

એચએમપી વાઇરસ એક ચેપી રોગ છે. તે ખાંસી અને છીંકથી મોંમાંથી નીકળતી લાળ દ્વારા ફેલાય છે.

તે હાથ મિલાવવાથી, આલિંગન અથવા તો એકબીજાને સ્પર્શ કરવાથી પણ ફેલાય છે.

આ વાઇરસ ચહેરા, નાક, આંખો અને મોંને સ્પર્શ કરેલા હાથ વડે પણ ફેલાય છે. જ્યારે ખાંસી અથવા વહેતા નાકને લીધે લાળ બહાર આવી જાય છે.

    1. એચએમપી વાઇરસ સાથેનો મૃત્યુદર શું છે?

CDC નોંધે છે કે જે લોકો પહેલાથી જ અન્ય રોગો ધરાવતા હોય તેમને એચએમપી વાઇરસ સાથે બીજા અન્ય વધારાના ચેપ મૃત્યુ તરફ દોરી જઇ શકે છે.

2021 માં લેન્સેટ ગ્લોબલ હેલ્થ જર્નલમાં પ્રકાશિત થયેલા એક લેખના ડેટા અનુસાર , પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોમાં તીવ્ર શ્વસન ચેપથી થતાં મૃત્યુમાં એચએમપી વાઇરસનો હિસ્સો એક ટકા છે.

    1. એચએમપી વાઇરસ ચેપ સામે રોગપ્રતિકારકતા કેવી રીતે વધારવી?

સિંગાપોરમાં ચેપી રોગોના ચિકિત્સક સુ લી યાંગે જણાવ્યું હતું કે, એચએમપીવી કોઈ નવો વાઇરસ નથી અને તે દાયકાઓથી છે.

એવું બહાર આવ્યું છે કે ભૂતકાળમાં લેવામાં આવેલાં પગલાંને લીધે વિશ્વભરના તમામ લોકોમાં આ વાઇરસનો સામનો કરવા માટેની રોગપ્રતિકારક શક્તિ રહેલી જ છે.

    1. HMP વાઇરસનાં લક્ષણો કેટલા દિવસ દેખાય?

આ વાઇરસનો ઇન્ક્યુબેશન પિરિયડ સામાન્ય રીતે ત્રણથી છ દિવસનો હોય છે. બીમારી ટૂંકા ગાળાની અથવા લાંબા ગાળાની હોઈ શકે છે. તેનો આધાર ચેપની તીવ્રતા પર રહેલો છે.

  1. કઈ સાવચેતી રાખવી જોઈએ?

જાહેર અને ભીડભાડવાળી જગ્યાએ માસ્ક પહેરો
નિયમિતપણે હાથ ધોવા
જેઓ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે અને સરળતાથી બીમાર થઈ જાય છે તેઓએ વધારે બહાર ન ફરવું
ફ્લૂની રસી મેળવવી

  1. સાજા થવામાં કેટલા દિવસો લાગશે?

જો વાઇરસનાં લક્ષણો ગંભીર ન હોય તો એચએમપી વાઇરસ માંથી સ્વસ્થ થતા રીતે એક બે અઠવાડિયાનો સમય લાગે છે. જોકે, ખાંસી ઓછી થવામાં થોડો વધુ સમય લાગી શકે.

January 3, 2025
china-virus.png
1min140

કોવિડ-19ની યાદો એટલી ભયાનક છે કે જે કદાચ લોકોના મગજમાંથી વર્ષો સુધી નહીં ભૂલાવાની. જોકે એ વચ્ચે કોરોના કાળના 5 વર્ષ બાદ ફરી એકવાર ચીનથી એક ડરામણાં અહેવાલ સામે આવ્યા છે. ચીનમાં ફરી એકવાર કોરોના જેવો જ ઘાતક વાયરસ તબાહી મચાવી રહ્યો હોવાના દાવા થઇ રહ્યા છે.

માહિતી અનુસાર આ વાયરસ કોરોના જેવો જ ઘાતક છે અને તેના લક્ષણ પણ કોરોના જેવા જ છે. આ નવા વાયરસનું નામ હ્યુમન મેટાન્યૂમોવાયરસ (HMPV) છે જે એક RNA વાયરસ છે. જે પણ વ્યક્તિ આ વાયરસથી ચેપગ્રસ્ત થાય છે તેનામાં કોરોના જેવા જ લક્ષણ દેખાય છે. આ વાયસરની લપેટમાં સૌથી વધુ બાળકો જ આવી રહ્યા છે. એમાંય 2 વર્ષની નાની વયના બાળકો સૌથી વધુ પીડિત બની રહ્યા છે.

ચીનના રોગ નિયંત્રણ તથા રોકથામ કેન્દ્ર (CDC) ના અહેવાલ અનુસાર તેના લક્ષણોમાં ખાંસી, તાવ, નાક બંધ થવી અને ગળામાં ખરાશ વગેરે થાય છે. HMPV ઉપરાંત ઈન્ફ્યૂએન્ઝા એ, માઈક્રોપ્લાઝમા, ન્યૂમોનિયા અને કોરોનાના કેસ પણ સામે આવી રહ્યા છે. જેમાં દર્દીઓની સંખ્યા સતત વધતી જઇ રહી છે.

સોશિયલ મીડિયા પર કરાયેલી એક પોસ્ટમાં દર્દીઓની તસવીરો જાહેર કરવામાં આવી છે જેમાં બતાવાયું છે કે ચીને વાયરસ ફેલાયા બાદ અનેક જગ્યાએ ઈમરજન્સી જાહેર કરી દીધી છે. આ દાવા અનુસાર હોસ્પિટલ અને સ્મશાન ઘાટ પર ફરી ભીડ જોવા મળી રહી છે. જોકે ચીન તરફથી હાલ એવી કોઈ માહિતીની પુષ્ટી કરવામાં આવી નથી. અનેક મીડિયાના અહેવાલોમાં સીડીસીએ પહેલાથી અસ્થમા અને ક્રોનિક ઓબ્સટ્રક્ટિવ પલ્મોનરી જેવા રોગો સામે ઝઝૂમતા દર્દીઓમાં સંક્રમણનો ખતરો વધવાની આશંકા વ્યક્ત કરી છે.