સરસાણા ઈન્ટરનેશનલ એક્ઝિબિશન કન્વેન્શન સેન્ટર ખાતે સરદાર ધામ આયોજીત ત્રિદિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2022 અને એક્ઝિબિશનનું 29મી એપ્રિલના રોજ સવારે 11 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ચ્યુઅલી ઉદ્દઘાટન કરશે. 30 હજાર ચોરસ મીટર વિસ્તારમાં 950 સ્ટોલ છે.
આઈ.ટી. ફૂડ અને બેવરેજીસ, ફાર્માસ્યુટિકલ, ડેરી, કૃષિ, એન્જિનિયરીંગ, રબર, ડાયમંડ અને ટેક્ષટાઈલ સહિતના 15થી વધુ સેક્ટરના ઉદ્યોગકારો 2 હજારથી વધારે પ્રોડક્ટ પ્રદર્શનમાં મુકાશે. મહિલા ઉદ્યોગ સાહસિકો, કૃષિ અને ડેરી માટે સ્ટોલમાં 50 ટકા રાહત છે.
4 લાખથી વધારે લોકોએ સમીટમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી દીધું છે. ત્યારે 700 એકરમાં પાર્કિંગની વ્યવસ્થા છે. જેમાં 7 હજાર કાર અને 50 હજાર બાઈક પાર્કિંગ થઈ શકશે.