CIA ALERT

CSK new captain Archives - CIA Live

March 24, 2022
WhatsApp-Image-2022-03-24-at-18.20.39.jpeg
1min506

ગુરુવારે બપોરે આઇ.પી.એલ.ની ચેમ્પિયન ટીમ ચેન્નઇ સુપર કિંગ્સના કેપ્ટન પદેથી મહેન્દ્રસિંહ ધોનીની જગ્યાએ ગુજ્જુ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના નામની ઘોષણા થઇ અને તેની સાથે જ સુરતના સોશ્યલ મિડીયા ગ્રુપોમાં કેપ્ટન જાડેજાનો સુરત અંગેનો વિડિયો ભારે વાઇરલ થયો હતો.

ચેન્નઇ સુપર કિંગ્સે તેના ઓફિશ્યલ ટ્વીટર હેન્ડલ પરથી સીએસકેના નવા કેપ્ટન રવિન્દ્ર જાડેજાનો વિડીયો રિલીઝ કર્યો હતો, સુરતમાં ટ્રેનિંગ સેશન દરમિયાન લેવાયેલા વિઝ્યુઅલ્સના સામેલ કરતા વિડીયોમાં રવિન્દ્ર જાડેજાએ સુરતની ફેસેલિટીઝની પ્રશંસા કરી આભાર માન્યો હતો. તેણે ગુજ્જુઓને આગામી આઇપીએલમાં ચેન્નઇ ટીમ માટે હૂટીંગ કરવા પણ હાકલ કરી હતી.

લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ પર મળેલી સુવિધાઓ બદલ રવિન્દ્ર જાડેજાએ આભાર વ્યક્ત કર્યો

સુરતમાં ચેન્નઇ સુપર કિંગ્સની ટીમે પંદર દિવસ સુધી આકરી પ્રેક્ટીસ કરી હતી. લાલ માટીની પીચ અને આઇસોલેટ વાતાવરણમાં ટીમના સભ્યો આગામી તા.27મી માર્ચથી શરૂ થતા આઇપીએલ માટે ઘનિષ્ઠ ટ્રેનિંગ કરી શકે તે માટે સુરતના લાલભાઇ સ્ટેડીયમને પસંદ કરવામાં આવ્યું હતું. સી.એસ.કે.ના આ કેમ્પમાં મહેન્દ્રસિંહ ધોની, રવિન્દ્ર જાડેજા, રુતુરાજ ગાયકવાડ સહિતના સ્ટાર પ્લેયર્સ આવ્યા હતા અને તેમને સુરતી ફેન્સનો અનુભવ થયો હતો. દિવસ રાત જોયા વગર સુરતના ક્રિકેટ પ્રેમીઓ હોટેલ અને સ્ટેડીયમના ગેટ પર ક્રિકેટરોની એક ઝલક મેળવવા માટે પ્રતિક્ષા કરતા હતા. ચેન્નઇની ટીમની બસ જ્યાંથી પસાર થતી ત્યાં લોકો ક્રિકેટર્સને વધાવતા, કેમેરામાં વિડીયો અને ફોટો ક્લીક કરવાનું શરૂ કરી દેતા હતા.

આ બધી બાબતોથી વાકેફ રવિન્દ્ર જાડેજાએ સી.એસ.કે.ના કેપ્ટન બનતાની સાથે જ સુરતના લોકોના, ક્રિકેટ પ્રેમીઓના, સુરતના લાલભાઇ સ્ટેડીયમ ખાતે મળેલી સુવિધાઓના ભરપેટ વખાણ કર્યા હતા. આ વિડીયો ચેન્નઇ સુપર કિંગ્સે પોતાના ઓફિશ્યલ ટ્વીટર હેન્ડલ પર મૂકયો હતો જે સોશ્યલ મિડીયામાં સુરતીઓના સર્કલ્સમાં ભારે વાઇરલ થયો હતો.

March 24, 2022
jadeja.jpg
1min298

ચેન્નઈ સુપર કિંગ્સે 14 વર્ષમાં પહેલી વાર કેપ્ટન બદલ્યો છે. મહેન્દ્ર સિંહ ધોનીએ ચેન્નઈ સુપર કિંગ્સની કેપ્ટનશિપ છોડી દીધી છે. હવે તેના સ્થાને રવીન્દ્ર જાડેજા ટીમનું નેતૃત્વ કરતો જોવા મળશે. જાડેજા 2012થી ચેન્નઈ સુપર કિંગ્સ ટીમનો ભાગ છે. માહીની કેપ્ટનશિપમાં ચેન્નઈએ 4 વખત આઈપીએલનો ખિતાબ પણ જીત્યો છે. જ્યારે આ વખતે ચેન્નઈની ટીમે જાડેજા અને ધોની સહિત 4 ખેલાડીઓને રિટેન કર્યા હતા.

જાડેજાને ફ્રેન્ચાઇઝીએ રૂ. 16 કરોડમાં રિટેન કરીને જાણે એવો સંકેત પણ આપ્યો હતો કે ધોનીના સ્થાને તે કેપ્ટન હોઈ શકે છે. તો બીજી બાજુ ધોનીને આ સિઝન માટે રૂ. 12 કરોડ મળ્યા હતા. જોકે અગાઉ પણ એવી અટકળો હતી કે જાડેજાને કેપ્ટન બનાવવામાં આવી શકે છે. તેના સિવાય મોઈન અલીને 8 કરોડ અને ઋતુરાજ ગાયકવાડને 6 કરોડમાં રિટેન કરવામાં આવ્યો હતો.