CIA ALERT
05. May 2024

Cricket austrailia Archives - CIA Live

September 14, 2022
Ind-vs-Aus_Playing.jpg
1min225

-20મીથી ત્રણ મેચની ઝ-20 શ્રેણીનો પ્રારંભ
નવી દિલ્હી, તા.13: ટી-20 વર્લ્ડ કપ પૂર્વે ટીમ ઇન્ડિયા ઘરઆંગણે પહેલા ઓસ્ટ્રેલિયા અને બાદમાં દક્ષિણ આફ્રિકા વિરૂધ્ધ ત્રણ-ત્રણ મેચની ટી-20 ઇન્ટરનેશનલ સિરીઝ રમવાની છે. ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝની શરૂઆત મોહાલીમાં તા. 20 સપ્ટેમ્બરથી થશે. આ શ્રેણી માટે ઓસ્ટ્રેલિયન ટીમ આવતીકાલ બુધવારે ભારત પહોંચશે. કાંગારૂ ખેલાડીઓ તા. 14મીએ મોહાલી પહોંચશે અને એ જ દિવસથી નેટ પ્રેકટીસનો પ્રારંભ કરશે. ભારત પ્રવાસની ઓસ્ટ્રેલિયાની ટીમમાં સ્ટાર બેટર ડેવિડ વોર્નરને વિશ્રામ અપાયો છે. તેના સ્થાને ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીનને તક અપાઇ છે. ટીમનો કપ્તાન એરોન ફિંચ છે.
જયારે ભારતીય ટીમ તા. 16મીએ મોહાલીમાં એકત્ર થશે. ટીમ ઇન્ડિયા પણ 16મીથી જ અભ્યાસનો પ્રારંભ કરશે તેવા રિપોર્ટ છે. વિશ્વ કપની ટીમમાં સામેલ ન થયેલ ઝડપી બોલર મોહમ્મદ શમી આ શ્રેણીમાં સામેલ છે. જયારે વિશ્વ કપની ટીમમાં સામેલ યુવા બોલર અર્શદિપને આ શ્રેણીમાં વિશ્રામ અપાયો છે. જયારે આ પછીની આફ્રિકા વિરૂધ્ધની શ્રેણીમાં હાર્દિક પંડયા અને ભુવનેશ્વર કુમારને વિશ્રામ અપાયો છે. ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 શ્રેણીની ભારતીય ટીમમાં શમી ઉપરાંત દીપક ચહરનો પણ સમાવેશ થયો છે. તે પણ વિશ્વ કપ ટીમનો હિસ્સો નથી.’ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેનો પહેલો મેચ મોહાલીમાં 20મીથી રમાશે. જયારે બીજો અને ત્રીજો મેચ અનુક્રમે 23 અને 2પમીએ નાગપુર તથા હૈદરાબાદમાં રમાશે.

September 10, 2022
finch-1280x830.jpg
1min238

– ફિંચ 2024માં રમાનારા વનડે વર્લ્ડ કપમાં ટીમના કેપ્ટન નહીં હોય પરંતુ આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા T20 વર્લ્ડ કપમાં કાંગારૂ ટીમની આગેવાની કરશે

નવી દિલ્હી, તા. 10 સપ્ટેમ્બર, 2022, શનિવાર

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિંચે વનડે ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. 36 વર્ષીય ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ફિંચ રવિવારે ન્યૂઝીલેન્ડ સામે પોતાની અંતિમ વનડે મેચ રમશે. ઓસ્ટ્રેલિયન ટીમ માટે 145 વનડે મેચ રમનારા એરોન ફિંચ આ ફોર્મેટમાં સૌથી ખરાબ ફોર્મનો સામનો કરી રહ્યા છે. છેલ્લી 7 ઈનિંગમાં તેમના બેટ વડે માત્ર 26 રન થઈ શક્યા છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની પ્રેસ રીલિઝ પ્રમાણે ફિંચે પોતાની સફરને શાનદાર ગણાવી હતી અને તેમાં અનેક યાદો બની હોવાનો ઉલ્લેખ કર્યો હતો. 

ફિંચે કહ્યું હતું કે, ‘કેટલીક શાનદાર વનડે ટીમનો સદસ્ય બનીને હું પોતાની જાતને નસીબદાર સમજું છું.’ આ સાથે જ તેમણે પોતાના સાથી ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનો પણ આભાર માન્યો હતો. ત્યાર બાદ નવા કેપ્ટનને તક આપવાનો સમય આવી ગયો છે જેથી પોતે સરખી તૈયારી કરી શકે અને આગામી વર્લ્ડ કપ જીતી શકે તેમ જણાવ્યું હતું. તેમણે પોતાને આ સ્તરે પહોંચવામાં મદદરૂપ બનનારા સૌ કોઈનો આભાર માન્યો હતો.