
ફ્લાઇટ ટ્રેકિંગ સાઇટ્સ અનુસાર VT-ALS વિમાન સવારે 6:10 વાગ્યે AI 887 તરીકે મુંબઈ માટે રવાના થયું હતું અને લગભગ 6:52 વાગ્યે પાછું ફર્યું હતું.
22/12/2025 સોમવારે સવારે ટેકઓફ કર્યા પછી તરત જ જમણી બાજુનું એન્જિન ફેઇલ થયું હોવા છતાં એર ઇન્ડિયાનું બોઇંગ 777 વિમાન સુરક્ષિત રીતે દિલ્હી પરત ફર્યું હતું. ફ્લાઇટ ટ્રેકિંગ સાઇટ્સ અનુસાર VT-ALS વિમાન સવારે 6:10 વાગ્યે AI 887 તરીકે મુંબઈ માટે રવાના થયું હતું અને લગભગ 6:52 વાગ્યે પાછું ફર્યું હતું.
ટ્વીન-એન્જિન વિમાન એક એન્જિન પર સુરક્ષિત રીતે ઉતરી શકે છે, તેથી વિમાન સુરક્ષિત રીતે દિલ્હી પરત ફર્યું. એર ઇન્ડિયાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર “22 ડિસેમ્બરના રોજ, દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઇટ AI 887 ના ક્રૂએ માનક સંચાલન પ્રક્રિયા મુજબ, ટેકનિકલ ખામીને કારણે ટેકઓફ કર્યા પછી તરત જ દિલ્હી પાછા ફરવાનું નક્કી કર્યું.
વિમાન દિલ્હીમાં સુરક્ષિત રીતે ઉતર્યું અને મુસાફરો અને ક્રૂ નીચે ઉતરી ગયા છે. આ અણધારી પરિસ્થિતિને કારણે થયેલી અસુવિધા બદલ એર ઇન્ડિયાને ખૂબ જ દુઃખ છે. વિમાનની જરૂરી તપાસ કરવામાં આવી રહી છે.”
એર ઇન્ડિયાએ વધુમાં જણાવ્યું હતું કે “દિલ્હીમાં અમારી ગ્રાઉન્ડ ટીમ મુસાફરોને તાત્કાલિક સહાય પૂરી પાડી રહી છે અને તેમને ઝડપથી તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચાડવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. એર ઇન્ડિયામાં, અમારા મુસાફરો અને કર્મચારીઓની સલામતી અને સુખાકારી અમારી ટોચની પ્રાથમિકતા છે.”
એર ઇન્ડિયા મુસાફરો માટે વૈકલ્પિક ફ્લાઇટની વ્યવસ્થા કરે છે
એન્જિન નિષ્ફળતાની તપાસ કરવા ઉપરાંત, DGCA એ ફ્લાઇટના મુસાફરો માટે વૈકલ્પિક ફ્લાઇટની પણ વ્યવસ્થા કરી હતી. એર ઇન્ડિયાએ તેમને તેમના ગંતવ્ય સ્થાન પર લઈ જવા માટે બીજા B777 (VT-ALP) વિમાનની વ્યવસ્થા કરી હતી. બોર્ડિંગ ગેટ પર નાસ્તો આપવામાં આવ્યો હતો.
એક અધિકારીએ જણાવ્યું હતું કે “મુસાફરોનું બોર્ડિંગ સવારે 9:06 વાગ્યે શરૂ થયું હતું અને વૈકલ્પિક ફ્લાઇટ સવારે 10 વાગ્યે રવાના થવાની ધારણા છે,”

