CIA ALERT
28. March 2024

AICC Archives - CIA Live

September 6, 2022
cong.jpeg
2min219

રાહુલ ગાંધીએ ચૂંટણી વચનો આપ્યાં 

– ખેડૂતોનું રૂા.૩ લાખ સુધીનુ દેવુ માફ કરાશે

– ૩૦૦ યુનિટ વિજળી મફત અપાશે

– કોરોનાના મૃતકોના પરિવારજનોને રૂા.૪ લાખ સહાય અપાશે

– રૂા.૫૦૦માં ગેસ સિલિન્ડર અપાશે

– દસ લાખ શિક્ષિત  યુવા બેરોજગરોને નોકરી અપાશ

– દુધમાં પ્રતિ લિટર રૂા.૫ સબસિડી

– ગુજરાતમાં ૩ હજાર સરકારી અંગ્રેજી મિડીયમની શાળા શરૂ કરાશે છોકરીઓને વિના મૂલ્યે શિક્ષણ 

– ભ્રષ્ટાચાર વિરુધ્ધ કાનૂન ઘડાશે

– ગુજરાત આજે ડ્રગ્સનું એપી સેન્ટર બન્યું છે, આ એવું રાજ્ય છે જયાં આંદોલન માટે પણ પરમિશન લેવી પડે છે

અમદાવાદ : કન્યાકુમારીથી ભારત જોડો પદયાત્રાના આરંભ અગાઉ અમદાવાદની એક દિવસીય મુલાકાતે આવેલા કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ રિવરફ્રન્ટ પર પરિવર્તન સંકલ્પ સંમેલન સંબોધતા ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતાકે, એક બાજુ, સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનાવવામાં આવે છેને બીજી બાજુ, એ જ સરદારની વિચારધારા પર આક્રમણ કરવામાં આવે છે.એ વિચારધારાનુ અપમાન કરાય છે.

 રાહુલ ગાંધીએ પણ વાયદો કર્યો હતોકે, જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર રચાશે તો, ખેડૂતોનુ ત્રણ લાખ રૂપિયા સુધીનુ દેવુ માફ કરાશે.દિકરીઓને મફત શિક્ષણ અપાશે જયારે ૩૦૦ યુનિટ વીજળી મફત અપાશે. આ ઉપરાંત બુથ કાર્યકરોને રાહુલ ગાંધીએ જીતનો મંત્ર આપ્યોકે, ગુજરાતની જનતા આજે ત્રસ્ત બની ગઇ છે. જો  પ્રજાલક્ષી પ્રશ્નોને આગળ ધરીને લડાયક બનીને ચૂંટણી લડશો તો કોંગ્રેસની સરકાર નક્કી છે.

સરદાર પટેલ એ કોઇ વ્યક્તિ નહી પણ એ દેશના ખેડૂતોનો અવાજ હતો. તેમના મોઢામાંથી જે નીકળતુ તે ખેડૂતોના હિતમાં હતુ. જો સરદાર ન હોત તો અમૂલ ન હોત. તે વાતનો ઉલ્લેખ કરતાં રાહુલ ગાંધીએ એવા પ્રહારો કર્યાં કે,મોદી અને આરએસએસના લોકોએ સરદારની દેશની સૌથી ઉંચી પ્રતિમા બનાવી પણ તેઓ જે ખેડૂતો માટે લડયાં તે જગતના તાત માટે કેન્દ્ર સરકારે ત્રણ કાળા કાનૂન લાવી. ભાજપ કહેછેકે, આ ખેડૂતોના હિતમાં છે.હકીકતમાં ખેડૂતોનો હક છિનવવા આ કાયદા લવાયા હતા. સરદારની વિચારધારા પર આક્રમણ થઇ રહ્યુ છે તો પછી વિશાળ મૂર્તિનો શો અર્થ. મારે તમને પુછવુ છેકે, આજે સરદાર હોત તો શુ ઉદ્યોગપતિના દેવા માફ કરત કે પછી ખેડૂતોના..સરદાર પટેલે જ ગુજરાતમાં લોકતાંત્રિક સંસ્થાઓ ઉભી કરી હતી. જેના માટે સરદાર સાહેબ સમગ્ર જીવન લડયા તેને ભાજપ-આરએસએસ અપક્વી શક્યા નહી.

રાહુલ ગાંધીએ ભાજપ સરકારને આડે હાથે લેતા કહ્યું કે, ગુજરાત આજે ડ્રગ્સનુ સેન્ટર બન્યુ છે. કોઇ સામાન્ય વ્યક્તિ પાસે ડ્રગ્સ પકડાય તો કાર્યવાહી થાય છે પણ મુંદ્રા પોર્ટ પરથી કરોડોનુ ડ્રગ્સ પકડાય તો પોલીસ કોઇ કાર્યવાહી કરતી નથી. ઉદ્યોગપતિઓને હજારો એકર જમીનોની લ્હાણી કરી દેવાય  છે જયારે ગરીબ આદિવાસી તેના હકની જમીન માંગે તો તેને મળતી નથી. લોકતંત્ર પર જ નહીં, ગુજરાતની જનતા પર આક્રમણ થઇ રહ્યુ છે પણ કોઇ બોલી શકતુ નથી. ગુજરાત માત્ર એવુ રાજ્ય છે જયાં આંદોલન માટે પણ પરમિશન લેવી પડે છે. શું સરદાર પટેલે અંગ્રેજો સામે લડવા માટે પરમિશન લીધી હતી. નાના ઉદ્યોગો ગુજરાતની તાકાત છે પણ જીએસટી-નોટબંધીને લીધે ઘણુ સહન કરવુ પડયુ છે. કોઇ વેપારીને પુછી જોજો,શું ફાયદો થયો.જવાબ મળશે. રાહુલ ગાંધીએ કાર્યકરોને બબ્બર શેર ગણાવી જોમ જુસ્સો આપતાં કહયુકે, તમે જે લડાઇ લડી રહ્યાં છો તે રાજકીય પાર્ટી સાથેની લડાઇ નથી બલ્કે વિચારધારાની લડાઇ છે. તમે કોની સામે લડી રહ્યાં છો તે સમજવુ પડશે.તેમણે જીતનો મંત્ર આપ્યો કે, ગત વખતની જેમ લડાયક બનીને ચૂંટણી લડશો તો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર નક્કી રચાશે. 

છેલ્લે રાહુલ ગાંધીએ ચૂંટણી વાયદો કર્યોકે, જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર રચાશે તો, બધાય ખેડૂતોનુ દેવુ માફ કરાશે. કોરોના મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રૂા.૪ લાખ વળતર અપાશે.૩૦૦ યુનિટ સુધી વીજળી મફત અપાશે. ૩ હજાર નવી અંગ્રેજી શાળા ખોલાશે. કન્યાઓને મફત શિક્ષણ અપાશે. ગેસ સિલિન્ડર માત્ર રૂા.૫૦૦માં અપાશે. ગુજરાતમાં આખેઆખી સરકાર બદલવી પડી એ જ દેખાડે છેકે, ભ્રષ્ટાચાર કેટલો થયો છે.  રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ આક્ષેપ કર્યાંકે, છેલ્લાં ૨૭ વર્ષના ભાજપના શાસનમાં ગુજરાતની જનતા દુખી છે. ભ્રષ્ટાચારનો પર્દાફાશ થતા જ મુખ્યમંત્રી થી માંડીને બધાય મંત્રીઓ બદલવા પડયા હતાં. ગત ચૂંટણીમાં અમિત શાહ કહેતાં હતાંકે, ૧૫૦ બેઠકો આવશે.કોંગ્રેસ તો લડાઇમાં જ નથી. પણ માત્ર ૯૯ બેઠકો જ આવી હતી. પ્રભારી ડૉ.રઘુ શર્માએ પણ ડબલ એન્જિનની સરકારને ખોટકાયેલુ એન્જિન ગણાવીને આકરી ટીકા કરી હતી. પ્રદેશ પ્રખુખ જગદીશ ઠાકોરે સ્વાગત પ્રવચન કરી મહાનુભાવોને આવકાર્યા હતાં. સભા સંબોધન બાદ રાહુલ ગાંધીએ ગાંધીઆશ્રમમાં મહાત્મા ગાંધીને પ્રતિમાને પુષ્પાજંલિ પણ અર્પી હતી. 

August 26, 2022
ghulam-nabi-azad.jpg
1min236

જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ગુલામ નબી આઝાદે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધા બાદ મોટું એલાન કર્યું છે. તેઓ જમ્મુ કાશ્મીર પાછા આવશે અને પોતાની પાર્ટી બનાવશે. આઝાદે બીજેપીમાં સામેલ થવાની ખબરોને પણ નકારી કાઢી છે. તેમણે કહ્યું કે, મારા વિરોધી છેલ્લા 3 વર્ષથી કહી રહ્યા છે કે, હું ભાજપમાં જઈ રહ્યો છું. તેઓએ તો મને રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પણ બનાવી દીધા.

તેમણે જણાવ્યું કે, તેઓ નવી પાર્ટી બનાવશે. તેની સાથે જ તેમણે ફરી એક વખત રાષ્ટ્રીય રાજકારણથી જમ્મુ-કાશ્મીરના રાજકારણમાં પરત ફરવાનો પણ સંકેત આપી દીધો છે. આઝાદે કહ્યું કે, હું જમ્મુ પણ આવીશ, કાશ્મીર પણ આવીશ. તેમણે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં અમે પોતાની પાર્ટી બનાવીશું. ત્યારબાદ રાષ્ટ્રીય સ્તરે પણ નજર આવીશું.

શું બીજેપીમાં સામેલ થશો? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, મારા વિરોધીઓ આ વાત 3 વર્ષથી કહી રહ્યા છે. તેઓએ મને રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પણ બનાવી દીધા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, તેમને કોઈ બીજેપી નેતાનો ફોન આવ્યો? આ સવાલના જવાબ પર આઝાદે કહ્યું કે, ભાજપના નેતા મને શું કામ ફોન કરે અમે બીજેપીમાં નથી.

ભાજપ પ્રદેશ અધ્યક્ષના નિવેદન પર ગુલામ નબી આઝાદે કહ્યું કે, અમારા બધી પાર્ટીઓ સાથે સારા સબંધ છે. અમે કોઈને પણ અપશબ્દો નથી કહ્યા. અમે બધા પક્ષોનું સમ્માન કરીએ છીએ. એટલા માટે બધા પક્ષોનું મારા પ્રત્યે સમ્માનનો ભાવ છે.

ગુલામ નબી આઝાદે પોતાના રાજીનામામાં રાહુલ ગાંધી પર લગાવેલા આરોપોના સવાલ પર કહ્યું કે, ગાંધી પરિવાર સાથે અંગત રીતે મારા ઘણા સારા સંબંધો છે. પરંતુ તે પર્સનલ રિલેશનની વાત નથી આ તો આપણે કોંગ્રેસના ડાઉનફોલની વાત કરી રહ્યા છીએ અને જેણે કોંગ્રેસમાં 50 વર્ષ વિતાવ્યા તેમને કેવું લાગી રહ્યું છે તે જણાવી રહ્યા છે.

May 26, 2022
sibal.jpg
1min235
congress leader kapil sibal pain burst out said gandhis should step aside  give some other leader chance - કપિલ સિબ્બલનો સોનિયા ગાંધી પર સીધો પ્રહાર,  કહ્યું હટે ગાંધી પરિવાર, બીજાને ...

ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને દિલ્હીના રાજકારણના મહારથી કપિલ સિબલે બુધવારે કૉંગ્રેસમાંથી રાજીનામું આપીને સમાજવાદી પક્ષના પીઠબળ સાથે રાજ્ય સભા માટે અપક્ષ ઉમેદવાર તરીકે નામંકનપત્ર ભર્યું હતું. કપિલ સિબલનું રાજીનામું લાંબા વખતથી વારંવાર ચૂંટણીઓમાં પછડાટ ખાતા પક્ષ કૉંગ્રેસ માટે વધુ એક મોટો આંચકો છે. કપિલ સિબલે જણાવ્યું હતું કે ત્રણ દાયકાથી જે પક્ષમાં સક્રિય રહ્યો છું, એ જ પક્ષની વિચારસરણી સાથે મારો સંબંધ રહેશે. કપિલ સિબલ બુધવારે લખનઊ ખાતે ઉત્તર પ્રદેશ વિધાનસભાના પરિસરમાં રાજ્યસભાની ઉમેદવારી માટે નામાંકનપત્ર ભરવા ગયા ત્યારે તેમની જોડે સમાજવાદી પક્ષના પ્રમુખ અખિલેશ યાદવ અને વરિષ્ઠ નેતા રામગોપાલ યાદવ તથા પક્ષના અન્ય નેતા પણ હતા. કૉંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનની માગણી કરનારા ૨૩ નેતાઓમાં એક કપિલ સિબલના રાજ્યસભાના સભ્યપદની મુદત આવતા જુલાઈ મહિનામાં પૂરી થાય છે. 

નામાંકનપત્ર ભર્યા પછી કપિલ સિબલે જણાવ્યું હતું કે મેં રાજ્યસભાની ચૂંટણીમાં અપક્ષ સ્પર્ધક રૂપે ઉમેદવારી કરી છે. મને ટેકો આપવા બદલ હું અખિલેશજીનો આભાર માનું છું. મેં ૧૬ મેએ કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. હું હવે કૉંગ્રેસનો વરિષ્ઠ નેતા નથી. કૉંગ્રેસ સાથે મારો પ્રગાઢ સંબંધ છે. લગભગ ૩૦-૩૧ વર્ષનો સંબંધ છે. આ નાની વાત નથી. હું ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીને કારણે કૉંગ્રેસમાં જોડાયો હતો. લોકોને એવો વિચાર આવશે કે ૩૧ વર્ષે કોઈ કૉંગ્રેસને કેવી રીતે છોડી શકે? પક્ષ છોડવાનું કઈંક તો કારણ હોય ને! મારા મનમાં પણ કઈંક ખટકો છે, દિલમાં કઈંક રંજ છે. ક્યારેક આવા નિર્ણયો પણ લેવા પડે છે.