સુરત એરપોર્ટને મુંબઇની ફ્લાઇટ ટૂંક સમયમાં મળશેઃ સી.આર. પાટીલ

આજે સુરત ખાતે એક પત્રકાર પરીષદને સંબોધતા કેન્દ્રીય જળ સંચય મંત્રી સી.આર. પાટીલે એવી માહિતી આપી હતી કે સુરત એરપોર્ટથી મુંબઇની ડોમેસ્ટીક ફ્લાઇટ ટૂંક સમયમાં શરૂ થશે. કેન્દ્રીય નાગરીક ઉડ્ડયન મંત્રી સુરત એરપોર્ટને અનુલક્ષીને માળખાગત સુવિધાઓ વિકસાવવામાં હકારાત્મક પ્રતિસાદ આપી રહ્યા છે. CiA Live News Web
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે ઘોષિત થયું છે પરંતુ સોનાની થાળીમાં લોઢાનો મેખ હોય તેવું મહેણું સુરત એરપોર્ટ માટે એ છે કે વિશ્વના દરેક દેશોની ફ્લાઇટ જ્યાંથી સંચાલિત થાય છે એ મુંબઇ એરપોર્ટને સુરત સાથે જોડતી એકેય ફ્લાઇટ નથી. ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ સિટી સુરત માટે મુંબઇની ફ્લાઇટની કમી મોટું નુકસાન પણ કરાવી રહી છે. CiA lIv
આ અંગે સી.આર. પાટીલે આજે સુરત ખાતેથી કહ્યું કે સુરત એરપોર્ટને મુંબઇ એરપોર્ટ સાથે જોડતી ડોમેસ્ટીક ફ્લાઇટ ટૂક સમયમાં શરૂ કરી દેવામાં આવશે. આ અગે કેન્દ્રીય નાગરીક ઉડ્ડયન મંત્રી વ્યવસ્થા ગોઠવી રહ્યા છે. તેમણે કહ્યું કે તાજેતરમાં સુરત એરપોર્ટની કમિટીના સભ્યો કેન્દ્રીય નાગરીક ઉડ્ડયન મંત્રીને મળ્યા હતા અને તેમને જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તે પૈકીના ચારથી પાંચ મુદ્દાઓનો થોડા દિવસોમાં જ અમલ કરી દેવા અંગે તેમણે બાંહેધરી આપી છે. બાકીની માળખાગત સુવિધાઓ વિકસાવવા માટે પણ ઉડ્ડયન મંત્રી સુરત માટે ખૂબ હકારાત્મક પ્રતિસાદ પાઠવી રહ્યા છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
