સુરત મોટા વરાછાના સ્વામીનારાયણ મંદિરમાં તોડફોડ : 24 હરિભકત વિરૂધ્ધ FIR

સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલા સ્વામીનારાયણ મંદિરમાં ધસી આવી તોડફોડ કરી સંતો સાથે ઝપાઝપી કરી હોબાળો મચાવવાના પ્રકરણમાં પુજારીએ 24 હરિભકતો અને મહિલા ભકતો સામે ફરિયાદ આપી હતી. આ બનાવ અંગે અમરોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર મોટા વરાછા લજાંમણી ચોક પાસે આવેલા રાજહંસ ટાવરની સામે મંદિરના પુજારી નિર્દોશચરણદાસજી ગુરૂસ્વામી લક્ષ્મીપ્રસાદ દાસજી સ્વામીએ હરિભકતો મોટા વરાછા હસુભાઈ ફાચરીયા, ધીરૂભાઈ રબારીકા, ભદ્રેશભાઈ ગજેરા, ભીખુભાઈ ગેવડીયા, પ્રવિણભાઈ દેસાઈ સહિત 24 હરિભકતો તથા મહિલા ભકતો સામે ફરિયાદ આપતાં જણાવ્યું હતું કે ગત તા.16 જુલાઈથી આજદિન સુધી મંદિરમાં આવી પુજા હોમહવન જેવા ધાર્મિક કૃત્યોમાં ખલેલ પહોંચાડી અપશબ્દો અને ગાળો બોલી સંતો તથા હરિભકતોની ધાર્મિક લાગણી દુભાવી મંદિરમાં તોડફોડ ચોરી કરી સંતો સાથે હાથ ચાલાકી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
પુજારીની ફરિયાદના આધારે નિર્દોશચરણદાસજી ગુરૂસ્વામી લક્ષ્મીપ્રસાદ દાસજી સ્વામીએ આ તમામ 24 સામે ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે. અમરોલી પોલીસના એ.કે.કુવાડીયાએ વધુ તપાસ હાથ ધરી છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
