સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણમાં સરદાર સાહેબના પૌત્ર હાજર નહીં રહે તેવી શક્યતાઓ
લગભગ 11 હજાર જેટલા આમંત્રિતોની હાજરીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાના લોકાર્પણ પ્રસંગે તા. 31 ઓક્ટોબર 2018ના દિવસે ખુદ સરદાર વલ્લભભાઈ પટેલના પૌત્ર જ હાજર નહીં રહે તેવી શક્યતા છે. 78 વર્ષના ગૌતમભાઈ અને તેમની પત્ની વડોદરામાં રહે છે. પણ તેમનો પુત્ર કેદાર અમેરિકામાં સ્થાયી થયો હોવાથી તેઓ વડોદરા અને અમેરિકા વચ્ચે આવન જાવન કરતા રહે છે. હાલમાં પણ તેઓ અમેરિકા છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ૧૫ દિવસથી સીએમઓ દ્વારા આ સમારોહમાં ગૌતમભાઈ અને તેમના પત્ની હાજર રહે તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે પણ તેમનો સંપર્ક થઈ રહ્યો નથી. વલ્લભ વિદ્યાનગરમાં રહેતા સરદાર પટેલના ભત્રીજા મનુભાઈ પટેલના પુત્ર ભુપેન્દ્ર પટેલનુ કહેવુ છે કે તેમનો કોન્ટેક્ટ કરવાના અમારા પરિવારના તમામ પ્રયત્નો પણ નિષ્ફળ ગયા છે.
ગૌતમભાઈ આ કાર્યક્રમમાં હાજર રહે તેવુ લાગતુ નથી. એમ પણ જાહેર સમારોહથી તેઓ દુર રહેવાનુ જ પસંદ કરે છે. જોકે સરદાર પટેલ પરિવારના બીજા ૩૦ સભ્યો લોકાર્પણના કાર્યક્રમમાં હાજર રહેશે. સરદાર પટેલ પરિવારના તમામ સભ્યોને ગોલ્ડ પાસ આપવામાં આવ્યા છે જેથી તેઓ પીએમ સહિતના વીવીઆઈપીઓની સાથે બેસી શકે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
