સ્ટેચ્યુ ઓફ યુનિટી : CR પાટીલે મહારાષ્ટ્રના CM-રાજ્યપાલ અને હર્ષ સંઘવીએ બિહાર CMને ઇન્વાઇટ કર્યા
Jayesh Brahmbhatt 98253 44944
સ્ટેચ્યુ ઓપ યુનિટી, સરદાર વલ્લભભાઇ પટેલની એવી પ્રતિમા કે જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા હશે અને એ ગુજરાતના નર્મદા જિલ્લામાં આકાર પામી છે. આગામી તા.31મી ઓક્ટોબર 2018ના રોજ સરદાર જયંતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાને જ્યારે અનાવરણ કરશે ત્યારે એ પ્રસંગ ઐતિહાસિક બનવાનો છે. ગુજરાત માટે તો જાણે આ એવો પ્રસંગ છે કે કોઇ ઘરમાં લગ્ન પ્રસંગ ન હોય. ગુજરાત સરકાર પણ એ જ પ્રકારે મહાનુભાવોને નિમંત્રી રહી છે.

તા.31મી ઓક્ટોબર 2018ના રોજ નર્મદા જિલ્લામાં નર્મદા ડેમ સમીપ યોજાનારા સ્ટેચ્યુ ઓફ યુનિટી કાર્યક્રમમાં સહભાગી થવા માટે ગુજરાત સરકારે લગભગ દરેક રાજ્યોના મુખ્યમંત્રીઓ, રાજ્યપાલોને આમંત્રિત કર્યા છે અને આ આમંત્રણ આપવા માટે ગુજરાત સરકારે અનેક કમિટીઓ બનાવીને તેમને રૂબરૂ મોકલ્યા છે.
સ્ટેચ્યુઓફ યુનિટીના ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપવા અંગેની આમંત્રણ પત્રિકા આપવાની કમિટીઓમાં સુરતના બે નેતાઓ સી.આર. પાટીલ અને હર્ષ સંઘવીને મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી.
સી.આર. પાટીલએ મહારાષ્ટ્રના સી.એમ. અને રાજ્યપાલને ઇન્વાઇટ કર્યા
સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તેમજ મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી ચેનામનીની વિદ્યાસાગર રાવને આપવા માટેના પ્રતિનિધિમંડળમાં ગુજરાતના ડેપ્યુટી સી.એમ. નીતિન પટેલની સાથે નવસારીના સાંસદ અને ગુજરાતના કદાવર નેતા સી.આર. પાટીલને મોકલવામાં આવ્યા હતા.

(મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદઘાટન સમારોહની આમંત્રણ પત્રિકા આપી રહેલા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ સાથે સુરતના નેતા નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલ તેમજ અન્ય દ્રશ્યમાન છે.)

(મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી ચેનાની વિદ્યાસાગર રાવને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદઘાટન સમારોહની આમંત્રણ પત્રિકા આપી રહેલા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ સાથે સુરતના નેતા નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલ તેમજ અન્ય દ્રશ્યમાન છે.)
યુવા ધારાસભ્ય હર્ષ સંઘવીને બિહાર સીએમ નીતિશ કુમારને ઇન્વાઇટ કરવા મોકલાયા
સુરતના મજૂરા વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાતના યુવા બીજેપી નેતા શ્રી હર્ષ સંઘવીને ગુજરાત સરકારે બિહારના મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમાર તેમજ અન્ય વીવીઆઇપીઓને આમંત્રિત કરવા માટેના પ્રતિનિધિ મંડળમાં સમાવેશ કર્યો હતો. સુરતના નેતા હર્ષ સંઘવી સાથે રાજ્ય પ્રધાનમંડળના શ્રી જયનારાયણ વ્યાસ તેમજ સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ તેમજ અન્યો જોડાયા હતા.

(બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદઘાટન સમારોહની આમંત્રણ પત્રિકા આપતી વખતે નીતિશ કુમારે યુવા ધારાસભ્ય, સુરતના નેતા હર્ષ સંઘવીને વિશેષ આદર આપ્યો .)


(બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદઘાટન સમારોહની આમંત્રણ પત્રિકા આપતી વખતે નીતિશ કુમારે યુવા ધારાસભ્ય, સુરતના નેતા હર્ષ સંઘવીને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા.)
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


