લાખો સુરતીઓને રાહત : નાનપુરાથી અઠવા સર્કલનો બંધ રોડ ખુલ્લો કરાયો : કોર્પોરેટર અશોક રાંદેરીયા અને વ્રજેશ ઉનડકટની પેનલે ચૂંટણી પૂર્વે આપેલું વચન પાળી બતાવ્યું

Share On :

ગત ફેબ્રુઆરી 2021માં સુરત મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની હતી એ પૂર્વે સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં.21ના ભાજપાના ઉમેદવાર અશોક રાંદેરીયા, વ્રજેશ ઉનડકડ અને તેમની પેનલને અઠવાગેટ પર રહેતા લોકોએ બબ્બે વખત તેડાવીને ત્યાં સુધી ધમકી આપી હતી કે જો તેઓ અઠવા ગેટ પર જતા નાનપુરાના રોડની હાલમાં બંધ એન્ટ્રી તાત્કાલિક નહીં ખોલાવે તો તેઓ મતદાનનો બહિષ્કાર કરશે. એ સમયે મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ પણ દરમિયાનગીરી કરી હતી. એ પછી ઇલેકશન યોજાઇ ગયું અને વોર્ડ નં.21ની ભાજપાની આખી પેનલ ચૂંટાઇ આવી.

વાત હવે શરૂ થાય છે. વોર્ડ નં.21ના ભાજપાના કોર્પોરેટર અશોક રાંદેરીયા અને વ્રજેશ ઉનડકટ બન્ને કોર્પોરેટરો પોતે અઠવાગેટના સ્થાનિક રહેવાસીઓને આપેલી જુબાનના સાર્થક કરવા મંડેલા રહ્યા. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, ટ્રાફિક પોલિસ અને શહેર પોલીસ તમામ સાથે અનેકો વખત મિટીંગો કરી. સ્થાનિક લોકોનું પ્રેશર પણ ખરું.

આખરે આજે તા.15મી જુલાઇ 2021ના રોજ અઠવા ગેટ પર રહેતા લોકો માટે સોનાનો દિવસ ઉગ્યો. સુરત મહાનગરપાલિકા અને ટ્રાફિક પોલીસે નાનપુરા, ટીમલિયાવાડ, ટીએન્ડ ટીવી સ્કુલ તરફથી અઠવાગેટ સર્કલ પર આવતા રોડની બંધ એન્ટ્રીને ખોલી નાંખવાની કાર્યવાહી હાથ ધરી અને રોડ ખુલ્લો કરતા કમસે કમ ત્રણેક લાખ લોકોને રોજબરોજ અવરજવરનમાં નડતો પ્રશ્ન ઉકેલાય ગયો છે.

May be an image of outdoors

ટ્રાફિક પોલીસ અને પાલિકાનું કહેવું હતું કે ટ્રાફિકની અવરજવર સરળ રહે એ માટે નાનપુરાથી અઠવા સર્કલની એન્ટ્રી બંધ કરવામાં આવી હતી, પરંતુ, તેની બીજી તરફ અઠવાગેટ દેરાસરથી લઇને નાનપુરા, ટીમલિયાવાડથી કાદરશાની નાળ સુધી રહેતા લાખો લોકોને પારાવાર અને રોજિંદી મુશ્કેલી થઇ પડી હતી, રોજ સવાર પડેને સ્થાનિક લોકોએ ટ્રાફિક પોલીસ સાથે માથાકૂટ કરવી પડતી, હવે આ પ્રશ્ન કાયમ માટે ઉકેલાય ગયો છે

આ બાબતમાં સૌથી મહત્વની વાત એ છે કે ભલભલા અધિકારીઓ એવું જ કહેતા કે નાનપુરાથી અઠવાગેટ જતા બંધ રોડને ખુલ્લો કરવો એ અશક્ય કામ છે, આવું થઇ શકે જ નહીં પરંતુ, સ્થાનિક કોર્પોરેટર અશોક રાંદેરીયા અને વ્રજેશ ઉનડકટે લોકોને કનડતો પ્રશ્ન હોઇ, તેને ગમે તે ભોગે ખુલ્લો કરવાની નેમ લીધી હતી અને એ પૂર્ણ કરી બતાવી.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :