શરદ પૂનમની રાતે આ સુરતીઓ શું કરીને ‘ મસ્ત ‘ થયા ??
Jayesh Brahmbhatt 98253 44944
નવું ન કરે તો સુરતી નહીં…આ કહેવત સુરતીઓની લાઇફ સ્ટાઇલ પરથી પ્રસ્થાપિત થઇ રહી છે. દાયકાઓથી શરદપૂર્ણિમા અને ચંદી પડવાની નાઇટ્સ હોય એટલે સુરતીઓ માટે તો જાણે ખાણી પીણીની જયાફત ઉડાડવાનો મોકો પણ હોય અને દસ્તુર તો ખાઇ-પી ને મસ્ત થવાનો તો ખરો જ. શરદપૂર્ણિમાએ દુધ-પૌંઆ ભલે નાની કટોરી ભરીને ખાતા હોય પણ તેની સાથે ભજીયા-ચટાણી અને અન્ય તમતમતી ચટાકેદાર વાનગીઓ આરોગવાનું સુરતીઓ ભૂલતા નથી અને ચંદી પડવાઓ તો ઘારી-ભૂસું ભલે નામનું હોય, પણ સુરતીઓનું આ નાઇટનું મેનુ ધમાકેદાર અને સાંભળી ને જ મોંમા પાણી લાવી દેનારું હોય છે.
ઇન શોર્ટ શરદપૂર્ણિમા કે ચંદી પડવાની ફુલ ચાંદની રાતો સુરતીઓ માટે ખાણીપીણી અને ધાંધલ-ધમાલ, પાર્ટી ઓલ નાઇટ જેવી હોય છે. આવી સ્થિતિમાં વિચારો કે કોઇ સુરતી બિલકુલ શાંત ચિત્તે ચાંદની શીતળ ઠંડક અને ટાઢા પ્રકાશમાં મેડિટેશન કરતો હોય ખરો? જે લોકો સુરતીઓનો ઓળખે છે એનો જવાબ તો બિલકુલ ના જ હોય. કે સુરતીઓ એટલિસ્ટ ચંદી પડવા કે શરદ પૂનમની રાતે તો બિલકુલ ચૂપચાપ શાંતિથી બેસીને મેડીટેશન કરે એ વાતમાં માલ નથી.
પણ સી.આઇ.એ. લાઇવ ન્યુઝ પોર્ટલ આપને અહીં જે ફોટા બતાવી રહ્યું છે એને જોયા પછી તમારે માનવું પડશે કે તા.24મી ઓક્ટોબર 2018ના રોજ શરદ પૂર્ણિમાએ સોળે કળાએ ખીલેલા ચંદ્રની શીતળ છાયામાં સુરતીઓએ મેડીટેશન કર્યું હતું. શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં પૂજા-અભિષેક બિલ્ડિંગની ટેરેસ પર ભેગા થયેલા સુરતીઓએ શરદપૂનમની રાત્રે મસ્ત મજાનું મેડિટેશન કરીને માનસિક શાંતિ મેળવી હતી. જાણીતા સ્પિરીચ્યુઅલ ટ્રેનર-અૉરો રિડર ફિરોઝ મોરકસની આગેવાની હેઠળ આ મેડીટેશન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં ભાગ લેનારા સુરતીઓએ પણ કંઇક નવીન અનુભૂતિ કરી હોવાનું જણાવ્યું હતું. આ સુરતીઓ એટલા ધ્યાન મગ્ન હતા કે તેઓ બધું ભૂલીને મેડીટેશનમાં મસ્ત બની ગયા હતા જે તસ્વીરોમાં જોઇ શકાય છે.
આ મેડીટેશન કેમ્પનું આયોજન કરનાર સ્પિરીચ્યુઅલ ટ્રેનર-અૉરો રિડર ફિરોઝ મોરકસ એ સી.આઇ.એ. લાઇવને જણાવ્યું છે કે આ એક ફુલ મુન એનર્જી મેડીટેશન સિટીંગ હતી. દોઢથી બે કલાક સુધી સુરતના લોકોએ સોળે કળાએ ખીલેલા ચંદ્રનો પ્રકાશ ગ્રહણ કર્યો હતો. આ બન્ને દિવસોની રાત્રીએ ચંદ્રનો પ્રકાશ, તેજ, કિરણો જે ગણો તે એટલા ફળદાયી હોય છે કે માનવ શરીરના અનેક પ્રશ્નોને નૈસર્ગિક રીતે ઉકેલી શકે છે. સ્કીન ડિસીઝ, એલર્જી વગેરેમાં પણ શરદ પૂનમ અને ચંદી પડવાના ચંદ્રનો પ્રકાશ બહું જ ફાયદાકારક રહે છે. તેમણે કહ્યું કે તેઓ છેલ્લા 6 વર્ષથી દર શરદ પૂનમની રાત્રે સુરતીઓ માટે આ પ્રકારના એનર્જી મેડીટેશન કેમ્પ યોજી રહ્યા છે.
.. છે ને આપણે સૌ સુરતીઓ અનપ્રિડિક્ટીબલ….
(શરદ પૂનમની રાતે સુરતીઓએ અઠવાલાઇન્સ ખાતેના એક એપાર્ટમેન્ટના ટેરેસ પર મેડીટેશન કર્યું હતું.)
(શરદ પૂનમની રાતે સુરતીઓએ અઠવાલાઇન્સ ખાતેના એક એપાર્ટમેન્ટના ટેરેસ પર મેડીટેશન કર્યું હતું.)
(શરદ પૂનમની રાતે સુરતીઓએ અઠવાલાઇન્સ ખાતેના એક એપાર્ટમેન્ટના ટેરેસ પર મેડીટેશન કર્યું હતું.)
(શરદ પૂનમની રાતે સુરતીઓએ અઠવાલાઇન્સ ખાતેના એક એપાર્ટમેન્ટના ટેરેસ પર મેડીટેશન કર્યું હતું.)
(શરદ પૂનમની રાતે સુરતીઓએ અઠવાલાઇન્સ ખાતેના એક એપાર્ટમેન્ટના ટેરેસ પર મેડીટેશન કર્યું હતું.)
(શરદ પૂનમની રાતે સુરતીઓએ અઠવાલાઇન્સ ખાતેના એક એપાર્ટમેન્ટના ટેરેસ પર મેડીટેશન કર્યું હતું.)
(શરદ પૂનમની રાતે સુરતીઓએ અઠવાલાઇન્સ ખાતેના એક એપાર્ટમેન્ટના ટેરેસ પર મેડીટેશન કર્યું હતું.)
(શરદ પૂનમની રાત્રે છેલ્લા 6 વર્ષથી સુરતીઓ માટે એનર્જી મેડીટેશન કેમ્પ યોજતા સુરતના જાણીતા સ્પિરીચ્યુઅલ ટ્રેનર-અૉરો રિડર ફિરોઝ મોરકસ)
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
