CIA ALERT

સૌરાષ્ટ્ર પર મેઘરાજા આફરીન

Share On :

ગુજરાતમાં સતત વરસી રહેલા મેઘરાજાએ છેલ્લા 24 કલાકથી જૂનાગઢ અને ગીર સોમનાથ પર હેત વરસાવાનું શરૂ કર્યું છે.

સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર, જૂનાગઢ અને ગીરસોમનાથ સહિતના જિલ્લાઓમાં મેઘમહેર થતા ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી છે. શુક્રવારની સવાર સુધી બોટાદ અને અમરેલી જિલ્લામાં પણ એક થી બે ઇંચ પાણી વરસ્યું હતું. રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે. નોંધાઈ રહ્યો છે.

સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર પંથકમાં પડી રહ્યો છે. 24 કલાકમાં રાજ્યના 53 તાલુકામા હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. જેમાં જૂનાગઢના માળિયામાં અઢી ઇંચ, બોટાદના ગઢડામાં અઢી અને પોરબંદરના કુતિયાણાના બે ઇંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત 10 તાલુકામાં એક થી અઢી ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. જૂનાગઢના માળિયા , બોટાદના ગઢડા, પોરબંદરના કુતિયાણા, ગીર-સોમનાથના તલાલા, જૂનાગઢના મેંદરડા, પોરબંદરના રાણાવાવ, જૂનાગઢ ના માણાવદર, ગીર-સોમનાથના ગીર-ગઢડા, અને અમરેલીના વડિયામાં એક થી અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

આ ઉપરાંત સુરતના ચોર્યાસીમાં પણ એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ, જામનગર, જૂનાગઢ, પોરબંદર અને રાજકોટ જિલ્લાના અનેક તાલુકામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો. સોરઠ પંથકમાં મેઘમહેર થતાં ખેડુતોએ વાવણી કાર્યનાં શ્રીગણેશ કર્યા છે. એક થી ત્રણ ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. માળિયા, મેંદરડા, શાપુર માણાવદર, વિસાવદરમાં ધોધમાર વરસાદ પડયો હતો. સુરત, નવસારી અને વલસાડમાં વરસાદ નોંધાયો છે. કચ્છના માંડવી અને મુંદ્રામાં ઝાપટાં પડ્યા છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :

Print Friendly, PDF & Email

Share On :