ભાજપામાં જોડાવાની અટકળો પર પૂર્ણ વિરામ મૂકતા સચિન પાયલટ
રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ પદેથી સચિન પાયલટની હકાલપટ્ટી બાદ એવી અટકળો વહેતી થઈ હતી કે તેઓ ભાજપમાં સામેલ થઈ શકે છે. જો કે સચિન પાયલટે તમામ અટકળો પર પૂર્ણવિરામ લગાવતા જણાવ્યું છે કે, તેઓ ભાજપમાં સામેલ થશે નહીં.

પાયલટે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, હું સ્પષ્ટ કરવા માગું છુ કે મારી ભાજપમાં સામેલ થવાની કોઈ યોજના નથી. ભાજપની સાથે લિંક કરીને મારી છબિ ખરાબ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. હું અત્યારે પણ કોંગ્રેસ પાર્ટીનો સભ્ય છું. આગળ શું કરવું છે તેના પર હજુ હું લઈ રહ્યો છું. હુ રાજસ્થાનના લોકોની સેવા કરવા માગું છું.
મંગળવારે કોંગ્રેસ પાર્ટીએ પાયલટની રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી પદેથી અને રાજસ્થાનના પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ પદેથી હકાલપટ્ટી કરી દીધી હતી. પાર્ટીએ પાયલટની સાથે રમેશ મીણા અને વિશ્વેન્દ્ર સિંહને પણ મંત્રી પદેથી હટાવી દીધા હતા.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
