રાવણોને નડ્યા મોંઘવારી અને GST
- રાવણ બનાવવા માટેના વાંસ, કાગળ અને ફટાકડાના ભાવમાં લગભગ 25 ટકા સુધી વધારો
- ફટાકડાના ભાવમાં તોતિંગ વધારો
- મટિરિયલ પર જીએસટીની ચૂકવણી

દશેરા પર્વે મનોરંજન માટે ખાસ કરીને બાળકોના મનોરંજન માટે રાવણદહનનો કાર્યક્રમો યોજાય છે. પણ આ વખતે રાવણને પણ જીએસટી અને મોંઘવારી એવા નડ્યા કે વિરાટ કદના રાવણને વામન કદના કરી દેવા પડ્યા છે. બજારમાં દશેરાએ રાવણ દહન માટેના રાવણો તૈયાર કરી આપનારાઓએ રાવણોના ભાવમાં 35 ટકા જેટલો જંગી વધારો કર્યો હોવાથી આ વખતે ગુજરાતના અનેક શહેરોમાં રાવણોના કદ પાછલા વર્ષોની તુલનામાં નાના થઇ ગયા છે.
રાવણોને પણ ગુજરાતમાં આ વર્ષે મોંઘવારી અસર કરી રહી છે. ગુજરાતમાં દશેરાના દિવસે રાવણદહન માટે તૈયાર કરી આપવામાં આવતા રાવણનાં પૂતળાં મોંઘવારીને કારણે ઓછાં વેચાયાં છે તો જ્યાં રાવણદહન થાય છે ત્યાં રાવણનાં નાના કદના પૂતળાંના ઓર્ડર અપાયા હોવાનું જાણવા મળે છે.
દક્ષિણ ગુજરાતનાં અલગ-અલગ શહેરોમાં વાપી, અમદાવાદ અને મુંબઇથી દર વર્ષે રાવણ તૈયાર કરીને મોકલવામાં આવે છે અને એ માટે ખાસ ઉત્તર પ્રદેશથી કારીગરો એક મહિના પહેલાંથી રાવણ દહન સ્થળે ડેરા તંબુ તાણીને રાવણનાં પૂતળાં બનાવે છે.
સુરતમાં રહીને રાવણદહન માટે રાવણ તૈયાર કરી આપતા અબ્બાસ અલી કહે છે કે 25થી 50 ફૂટ જેટલાં ઊંચાં રાવણનાં પૂતળાંનો અૉર્ડર અત્યાર સુધી મળતા હતા. આ વર્ષે ભાવતાલની વાતચીતમાં જ ઓર્ડર પર 30 ટકા કાપ આવી ગયો છે. જીએસટી અને રાવણ માટે ઉપયોગી મટીરીયલ અને ફટાકડાના ભાવ વધારાને કારણે રાવણના ભાવ 35 ટકા જેટલા વધાર્યા છે. આમ આ વર્ષે રાવણ દહન કરનારાઓએ પોતાનું બજેટ વધાર્યું નથી એટલે આ વર્ષે દશેરામાં મોંઘવારીને કારણે રાવણની માગણી ઓછી થઈ ગઈ છે.
રાવણ બનાવવા માટેના વાંસ, કાગળ અને ફટાકડાના ભાવમાં લગભગ 28 ટકા વધારો થયો છે રાવણ દહન કરાવનારા આયોજકોએ ભાવ વધારાને પગલે ઓછા ફટાકડા નાખવાનું કહેવા ઉપરાંત નાના કદના તૈયાર કરાવ્યા છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


