ચાના કપ પર ભાજપનું સૂત્ર, ટિકિટ પર મોદીની તસવીર ચૂંટણી પંચની રેલવેને નૉટિસ
ચાના કપ પર ભાજપનું સૂત્ર ‘મૈં ભી ચોકીદાર’ અને ટિકિટ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર ચૂંટણીની આચારસંહિતાનો ભંગ કરતી હોવાના આક્ષેપ બાદ ચૂંટણીની આચારસંહિતાનું પાલન કરવામાં ઉદાસીનતા દાખવવા બદલ ચૂંટણી પંચે મંગળવારે રેલવેને નૉટિસ પાઠવી હતી.
ચૂંટણી પંચે રેલવેને નૉટિસ પાઠવી ગુરુવાર સુધીમાં આ મામલે પ્રતિક્રિયા આપવા જણાવ્યું છે જેથી કરીને ચૂંટણીની આચારસંહિતાનો ભંગ થયો છે કે નહીં એ અંગે તે નિર્ણય લઈ શકે. કાઠગોદામ શતાબ્દીના પ્રવાસીએ ચાના કપ પર ભાજપના સૂત્ર ‘મૈં ભી ચોકીદાર’ દર્શાવતી તસવીર સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર પૉસ્ટ કરતા આ બાબત પ્રકાશમાં આવી હતી.
આ પૉસ્ટ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ હતી જેને પગલે રેલવેતંત્રએ ચાના કપ પાછા ખેંચી લીધા હતા અને કોન્ટ્રેક્ટરને દંડ ફટકાર્યો હતો. ટિકિટ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરને મામલે પણ ચૂંટણી પંચે આચારસંહિતાને ગંભીરતાથી ન લેવા બદલ રેલવેતંત્રને ઠપકો આપ્યો હતો.
ટ્રેનમાં પ્રવાસીઓને આપવામાં આવતા ચાના કપ ભારતીય રેલવેને ‘સંકલ્પ’ નામના એનજીઓ દ્વારા પૂરા પાડવામાં આવતા હોવાનું તેમ જ તેના પર ભાજપનું સૂત્ર હોવાનું ધ્યાન પર આવ્યું હતું. નૉટિસમાં જણાવ્યાનુસાર આ બાબત ચૂંટણીની આચારસંહિતાનો ભંગ કરતી હોવાનું જણાઈ રહ્યું છે, એમ તેમણે કહ્યું હતું.
ચૂંટણી પંચે આ મામલે રેલવેના ઑફિસર ઈન્ચાર્જ વિરુદ્ધ શિસ્તનાં પગલાં લેવાનો અને એક અઠવાડિયાની અંદર અહેવાલ સુપરત કરવાનો નિર્ણય લીધો છે. જોકે, ચૂંટણીપંચે પાઠવેલા પત્ર અને નૉટિસને મામલે રેલવેતંત્રએ હજુ સુધી કોઈ નિવેદન નથી કર્યું.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
