ચોકીદાર ચોર છે’ નિવેદન માટે રાહુલની બિનશરતી માફી
સુપ્રીમ કોર્ટના રાફેલ મુદ્દે પ્રથમ ઓર્ડર બાદ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટને ટાંકીને ‘ચોકીદાર ચોર છે’ નિવેદન જાહેરમાં અને મીડિયા સમક્ષ કરતા કોર્ટના અવમાનની અરજી ભાજપના સાંસદ મિનાક્ષી લેખીએ કરી હતી તેની સુનાવણી દશેક દિવસથી ચાલતી હતી.
અગાઉ રાહુલ ગાંધીએ આ બાબતમાં ખેદ દર્શાવ્યો હતો તેનાથી કોર્ટને સંતોષ થયો નહોતો. બુધવારે રાહુલે બિનશરતી માફી માગી હતી. તેમણે અવમાનની પ્રક્રિયા બંધ કરવા વિનંતી કરી હતી.
ત્રણ પાનાંની નવેસરથી કરાયેલી એફિડેવિટમાં ગાંધીએ કહ્યું હતું કે તેમને કોર્ટ માટે ઘણું માન છે. ન્યાયની પ્રક્રિયામાં દરમિયાનગિરી કરવાનો તેમનો કોઈ ઉદ્દેશ નહોતો. તેમની એફિડેવિટ સ્વીકારવામાં આવે અને હાલનો કેસ બંધ કરવામાં આવે એમ અનુરોધ કર્યો હતો.
એફિડેવિટ શુદ્ધ દાનતથી ન્યાય પ્રક્રિયાના હિતમાં કરાઈ છે અને કશું છુપાવાયું નથી. ભાજપના સાંસદ મિનાક્ષી લેખીએ આક્ષેપ કરતા કહ્યું હતું કે રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટના નામે પોતાનું નિવેદન જાહેરમાં કરીને પૂર્વગ્રહ ઊભો કર્યો હતો. ગાંધીએ 10 એપ્રિલે નિવેદન કર્યું હતું જે દિવસે સુપ્રીમ કોર્ટે રાફેલ મુદ્દે રીવ્યૂ પિટિશન સ્વીકારી હતી. સુપ્રીમ કોર્ટે ચોકીદાર નરેન્દ્ર મોદી ચોર છે, એવું કહ્યું નહોતું. છતાં રાહુલે રજૂઆત જાહેરમાં કરી હતી.
સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ફટકાર લગાવતા કહ્યું હતું કે તમે ભૂલ કરી છે તો તમારે સ્વીકારવી જોઈએ. પ્રથમ એફિડેવિટ સ્પષ્ટ હતી નહીં તેથી નવેસરથી એફિડેવિટ કરવા કહ્યું હતું.
સુપ્રીમ કોર્ટનો ઓર્ડર વાંચ્યા વિના રાજકીય પ્રચારના જુસ્સામાં તેમણે ‘ચોકીદાર ચોર છે’નું નિવેદન કર્યું હતું તેના માટે બિનશરતી માફી માગું છું, એવું નવેસરની એફિડેવિટમાં જણાવાયું છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
