રાફેલ ડીલઃ ઓલાંદેના નિવેદન પર ફ્રાંસ સરકારે મોદી સરકારના બચાવમા ઉતરવું પડ્યું
રાફેલ ડિલના મામલે ફ્રાન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદેએ રિલાયન્સ અંગે કરેલા નિવેદનને પગલે ભારતની રાજનિતીમાં જ નહીં બલ્કે વિશ્વભરના રાજકીય તખ્તાઓ પર ભારે હલચલ મચી ગઇ છે. ઓલાંદેના નિવેદનને પગલે તાબડતોડ ફ્રાન્સ સરકારે નિવેદન આપીને ભારત સરકારના બચાવમાં ઉતરવું પડ્યું હતું. પ્રસ્તુત છે સમગ્ર વિવાદ પર પહેલેથી છેલ્લે સુધીનો ઘટનાક્રમ
ઓલાંદેએ શું કહ્યું હતું ?
એક રિપોર્ટ મુજબ ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદેએ રાફેલ ડીલ મામલે સ્ફોટક નિવેદન આપ્યું હતું. ઓલાંદેએ 58,000 કરોડ રૂપિયાની રાફેલ ડીલમાં દાસૌ એવિયેશનને પાર્ટનર કંપની તરીકે રિલાયન્સ ડિફેન્સનું નામ ભારત સરકારે સૂચવ્યું હોવાનો દાવો કર્યો હતો. ઓલાંદે આ વાત ફ્રાંસની ન્યૂઝ વેબસાઈટને આપેલા એક ઈન્ટરવ્યુમાં કહી હતી.
ઓલાંદેનો દાવો છે કે ભારત સરકારે રિલાયન્સ ડિફેન્સનું નામ સૂચવ્યું. દાસૌએ અનિલ અંબાણીનો સંપર્ક કર્યો. અમારી પાસે કોઈ વિકલ્પ નહોતો. જો કે દાસૌએ આ મુદ્દે નિવેદન જાહેર કરીને સ્પષ્ટતા કરી છે. દાસૌના કહેવા મુજબ ઓફસેટ પાર્ટનર તરીકે કંપનીએ જાતે જ રિલાયન્સની પસંદગી કરી હતી. એટલે કે આ મામલે ભારત સરકાર કોઈ રીતે જવાબદાર નથી. ફ્રાંસના પૂર્વ પ્રમુખ ઓલાંદેના દાવાથી વિરુદ્ધ ફ્રાંસની સરકારે સ્પષ્ટતા કરી છે કે, રાફેલ ડીલમાં ઈન્ડિયન કંપની પસંદ કરવામાં ભારતીય સરકારની કોઈ ભૂમિકા નથી
‘ડીલમાં ભારત સરકારની ભૂમિકા નહીં’
યુરોપ એન્ડ ફોરેન અફેર્સ મંત્રાલયના પ્રવક્તાએ ઓલાંદના દાવાને ફગાવતા નિવેદન જાહેર કર્યું છે. આ નિવેદનમાં કહેવાયું છે કે રાફેલ ડીલમાં પાર્ટનર પસંદ કરવાનું કામ ભારત સરકારે નહીં પરંતુ ફ્રેંચ કંપની દાસૌએ કર્યું છે.
આરોપો પર ફ્રાસ સરકારનો જવાબ
– પાર્ટનર કંપની પસંદ કરવાનો અધિકાર
ફ્રાસની સરકારે સ્પષ્ટતા કરી છે કે ફ્રેંચ કંપની પાસે ઈન્ડિયન કંપનીને પાર્ટનર તરીકે પસંદ કરવાની પૂરતી આઝાદી છે.

રાફેલ ડીલ પર ચાલી રહેલા ઘમાસાણ વચ્ચે ફ્રાંસના પૂર્વ પ્રમુખ ઓલાંદેના નિવેદન પર ફ્રાંસ સરકારે સ્પષ્ટતા કરી છે. ઓલાંદેના દાવાથી ઉલટુ ફ્રાંસની સરકારે સ્પષ્ટતા કરી છે કે ઓદ્યોગિક પાર્ટનર પસંદ કરવામાં સરકારની કોઈ ભૂમિકા નથી. ભાર મૂકીને કહેવાયું છે કે ફ્રેંચ કંપની દાસોને કોન્ટ્રાક્ટ માટે ઈન્ડિયન કંપની પસંદ કરવાની આઝાદી અપાઈ છે. રિલાયન્સ ડિફેન્ટને પાર્ટનર તરીકે પસંદ કરવાના દાવા પર ફ્રાંસ સરકારે કહ્યું કે દાસોએ સૌથી શ્રેષ્ઠ વિકલ્પની પસંદગી કરી છે.
કેન્દ્ર પર વિપક્ષના પ્રહાર
જો કે ઓલાંદેના નિવેદન બાદ વિપક્ષ આ મામલે કેન્દ્ર સરકારને ઘેરી રહ્યો છે. વિપક્ષ સતત રાફેલ ડીલમાં મોટા કૌભાંડનો આક્ષેપ કરી રહ્યો છે. ઓલાંદેના નિવેદન બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર પીએમ મોદી પર નિશાન સાધ્યું.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


