CIA ALERT

પુલવામામાં રવિવારે મધરાતથી જૈશના આતંકી-સૈન્ય વચ્ચે અથડામણ, 4 જવાનો શહીદ

Share On :

પિંગલાન વિસ્તારમાં આતંકીઓ હોવાની બાતમી બાદ આર્મીએ ઓપરેશન હાથ ધર્યું હતું, આતંકીઓના બેફામ ફાયરિંગમાં એક મેજર સહિત 4 જવાનો શહીદ

File photo pulwama

જમ્મુ કાશ્મીરના પુલવામામાં વિસ્તારમાં ભારતીય સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગઇ કાલ રવિવારે મધરાતથી જબરદસ્ત અથડામણ થયાના અહેવાલો મળ્યા છે. પુલવામાના પિંગલાન વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની મળેલી બાતમીને પગલે રવિવારે મોડી રાતથી સુરક્ષાદળો ઓપરેશન હાથ ઘર્યું હતું. આખી રાત બંને તરફથી સામસામે પાયરિંગ થયું. સમગ્ર વિસ્તાર ખાલી કરી લોકોને સલામત સ્થળે ખસેડાઈ રહ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પુલવામા હુમલાનો માસ્ટરમાઈન્ડ ગાઝી રાશિદ પણ આ વિસ્તારમાં છુપાયેલો હોઈ શકે છે. મળતી માહિતી મુજબ છુપાયેલા આતંકીઓ પણ જૈશ એ મોહમ્મદના જ છે. તમામ આતંકીઓ પુલવામા હુમલો કરનાર આદિલ અહેમદ ડારના સાથીદારો છે.

મોડી રાત્રે 55RR, CRPF અને SOGના જવાનોએ આ ઓપરેશનને અંજામ હાથ ધર્યું હતું. શહીદ થયેલા જવાનોમાં મેજર ડી. એસ. ડોંડિયાલ, હેડ કોન્સ્ટેબલ સેવા રામ, સિપાઈ અજય કુમાર અને સિપાઈ હરી સિંહ સામેલ છે. તો અન્ય એક ઘાયલ જવાનને હોસ્પિટલ ખસેડાયા છે.

 

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :