સત્તામાં નહીં સેવામાં રહેવા માગું છું : PM Modi
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મન કી બાત મારફતે દેશને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ મન કી બાતમાં કહ્યું હતું કે, તેઓ આજે સત્તામાં નથી અને ભવિષ્યમાં સત્તામાં જવા માગતા નથી. તેઓ માત્ર સેવામાં રહેવા માગે છે. તેઓ માટે વડાપ્રધાનનું પદ અને બધી વસ્તુઓ સત્તા માટે છે જ નહીં. સેવા માટે છે. સાથે જ પીએમ મોદીએ પ્રકૃતિને માતા ગણાવી હતી અને તેનાં સંરક્ષણની અપીલ કરી હતી.
પીએમ મોદીએ કહ્યું હતું કે, પ્રકૃતિથી જોખમ ત્યારે જ ઉભું થાય છે જ્યારે સંતુલન બગડે છે અથવા તેની પવિત્રતા નષ્ટ કરવામાં આવે છે. પીએમ મોદીએ કોરોનાને લઇને પણ ચેતવણી આપી હતી અને લોકોને સાવધાન રહેવા કહ્યું હતું.
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, પ્રકૃતિ માતા છે અને તેનું સંરક્ષણ કરવું જોઈએ. આપણી આસપાસ જે પણ પ્રાકૃતિક સંસાધન છે તેને બચાવવા અને યોગ્ય રૂપમાં પરત કરવા જોઈએ. આ કામગીરીમાં જ તમામનું હિત છે. પીએમએ આગળ ઉમેર્યું હતું કે, આપણા દેશમાં અનેક રાજ્ય છે, અનેક ક્ષેત્ર છે જ્યાંના લોકોએ પોતાના પ્રાકૃતિક વારસાને સંભાળીને રાખ્યો છે. આ લોકોએ પ્રકૃતિ સાથે મળીને જીવવાની કળા પણ જીવંત રાખી છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
