CIA ALERT

પાકિસ્તાનના 30,000 હિન્દુને ભારતે આપ્યા Long Term વીઝા

Share On :

આશરે 30,000 પાકિસ્તાની નાગરિક પૈકી મોટા ભાગે હિન્દુઓને 2011થી ભારતે લાંબી મુદતના વીઝા આપ્યા છે. ભારતમાં લાંબા સમય સુધી રહેવાના વિઝા મેળવનાર પૅન કાર્ડ અને આધાર કાર્ડ મેળવી શકશે તથા ભારતમાં મિલકતની ખરીદી કરી શકશે, એમ ગૃહ મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું.

 

પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બંગલાદેશમાં વસતી લઘુમતીને મદદ કરવા મોદી સરકારની નીતિ અનુસાર 2018માં 6,092 પાકિસ્તાની નાગરિકને એલટીવીએસ આપવામાં આવ્યા છે.

કુલ 14,726 પાકિસ્તાની નાગરિકોએ ભારતના વીઝા મેળવવા અરજી કરી હતી. તેમને 2011 અને 2014ની વચ્ચે એલટીવીએસ આપવામાં આવ્યા હતા.

2015થી એલટીવીએસ મેળવવા ઑનલાઇન પ્રોસેસ શરૂ કરવામાં આવ્યો ત્યારથી 2015માં 2,142ને, 2016માં 2,298 નાગરિકને અને 2017માં 4,712ને વીઝા આપવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારની હાલની નીતિ પ્રમાણે લોંગ ટર્મ વીઝા પર ભારતમાં વસતા કોઈપણ ધર્મ કે કોમના નાગરિકોને રહેવા માટે ઘરની ખરીદી કરવા દેવાશે. તેમ છતાં સંવેદનશીલ વિસ્તારોમાં મિલકતની ખરીદી કરવાની પરવાનગી નહીં આપવામાં આવે. તેઓ પૅન કાર્ડ. આધાર કાર્ડ અને ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવી શકશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :