પાટીદારોને અધર બેકવર્ડ ક્લાસ (OBC) માં સમાવો : હાર્દિક પટેલ એન્ડ કંપનીની મરાઠા માર્ગે
મહારાષ્ટ્રમાં ચાલુ સપ્તાહે મહારાષ્ટ્ર ઓબીસી પંચ દ્વારા મરાઠાઓને રિઝર્વેશન આપવાની કરેલી જાહેરાત બાદ ગુજરાતમાં પાટીદાર આંદોલનના સમીકરણો અને દિશા બદલાય છે. પાટીદાર અનામત માટે લડી રહેલા હાર્દિક એન્ડ કંપની એટલે કે હાર્દિક અને પાસના 25 જેટલા સાથીદાર કન્વીનરોએ આજે તા.22મી નવેમ્બર 2018ના રોજ બપોરે ગાંધીનગર ખાતેના ગુજરાતના ઓબીસી પંચની કચેરી જઇને પાટીદારોને ઓબીસીમાં સમાવવા માટેની રજૂઆતો કરી હતી.

હાર્દિક પટેલ અને તેમના સાથીદારોએ ગુજરાતમાં અધર બેકવર્ડ ક્લાસ પંચ સમક્ષ રજૂઆતો કરાય એ પહેલા મિડીયાને જણાવ્યું હતું કે પાસ દ્વારા જુદા જુદા રાજ્યોમાં કેવી રીતે જુદી જુદી જાતિઓને ઓબીસીમાં સમાવવામાં આવી તે પ્રક્રિયાનો નિર્દેશ કરતી 17 પાનાની લેખિત રજૂઆતો કરી હતી. ઓબીસી પંચના અધિકારીઓ સમક્ષ હાર્દિક પટેલ એન્ડ કંપનીએ એવી રજૂઆતો કરી હતી કે મહારાષ્ટ્રમાં જેમ ઓબીસી પંચે સરવે કર્યો હતો તેવી જ રીતે ગુજરાતમાં પણ પાટીદારોને અનામત મળે તે માટે સરવે કરવા માટે સૂચન કર્યું હતું.
હાર્દિક પટેલ એન્ડ કંપની એવી રજૂઆતો કરી રહી છે કે જે રીતે મહારાષ્ટ્રમાં ઓબીસી પંચ દ્વારા પહેલા સરવે કરવામાં આવ્યો અને સરવેના તારણોના આધારે મહારાષ્ટ્ર સરકારને ભલામણો કરવામાં આવી હતી. એ ભલામણોને મહારાષ્ટ્ર સરકારે સ્વીકારી લીધી છે. મહારાષ્ટ્રમાં આ પ્રકારે મરાઠાઓને તાજેતરમાં જ રિઝર્વેશન આપવામાં આવ્યું છે, એ જ તર્જ પર ગુજરાતમાં પાટીદારોને અનામત આપવામાં આવે એવી રજૂઆત સાથે હાર્દિક અને તેના 25 જેટલા સાથીઓ તા.22મી નવેમ્બર 2018ની બપોરે અઢી વાગ્યાના અરસામાં ગાંધીનગર ઓબીસી કમિશનની કચેરી પર પહોંચ્યા બાદ સીધા જ ઓબીસી કમિશનની કચેરીમાં અધિકારીઓને રજૂઆતો કરવા ગયા હતા.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


