ભારત માટે મોટી રાહત : 78 જિલ્લામાં છેલ્લા 14 દિવસથી એકપણ કેસ નહીં

Share On :

સ્વાસ્થ્ય મંત્રાલય પત્રકાર પરિષદ કરીને જણાવ્યું હતું કે   સંપૂર્ણ દેશમાં કોરોના સંક્રમણના હજુ પણ 21393 કેસ છે. કોરોના સંક્રમણના કારણે 4258 લોકો સ્વસ્થ થયા છે જ્યારે 681 લોકોના મોત નિપજ્યા છે. અત્યારે કોરોનાના 16, 454 એક્ટિવ કેસ છે જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં 1409 નવા કેસ સામે આવ્યા છે.

રાહતની વાત એ છે કે  78 જિલ્લામાં ૧૪ દિવસથી કોરોના એક પણ કેસ સામે આવ્યા નથી. આ સિવાય નવ રાજ્યોના 33 જિલ્લામાં પણ કોરોનાના એક પણ કેસ સામે આવ્યા નથી. 12 જિલ્લા એવા છે જે 28 દિવસથી કોરોનાના એક પણ કેસ સામે આવ્યા નથી.

 લોકડાઉનને લઈને સરકારે મહત્વની જાહેરાત કરતાં કહ્યું હતું કે,  પંખા અને પુસ્તકોની દુકાનોને લોકડાઉનમાં છૂટ આપવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ છૂટછાટ વધારવામાં આવી છે. આ સિવાય લોટ દળવાની ઘંટી અને પ્રિપેડ રીચાર્જની દુકાનોને પણ છૂટછાટ આપવામાં આવી છે.

સરકારનું કહેવું છે કે લોકડાઉનના કારણે કોરોનાન કેસોમાં ઘટાડો થયો છે અને ભવિષ્યમાં આવનારા પડકારો સામે લડવા માટેનો અવસર મળ્યો છે. લોકડાઉનના કારણે કોરોના વાયરસ નબળો પડ્યો છે. સરકારે જણાવ્યું હતું કે કોરોના આંકડાથી હટીને રણનીતિ પર પણ વિચાર કરી રહ્યા છીએ. જિંદગી બચાવી એ અમારો મૂળ મંત્ર રહયો છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :

Print Friendly, PDF & Email

Share On :