કેન્દ્રની નવી કોરોના ગાઈડલાઈનમાં પ્રતિબંધો મૂકવાની સત્તા હવે રાજ્ય સરકારોને હસ્તક
દેશના ગૃહમંત્રાલય તરફથી તા.૨૪મી માર્ચ ૨૦૨૧ના રોજ જારી કરવામાં આવેલી નવી કોરોના ગાઈડલાઈનમાં રાજ્ય સરકારોને ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટની નીતિનો સખ્તાઈથી અમલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આ નવી માર્ગદર્શિકા 1 એપ્રિલથી 30 એપ્રિલ સુધી લાગુ રહેશે. કેન્દ્રે રાજ્ય સરકારોને ટેસ્ટિંગ વધારવા કહેવા સાથે પોઝિટિવ આવેલા લોકોનો ઈલાજ પણ સુનિશ્ચિત કરવાં કહ્યું છે. તદુપરાંત ટ્રેક પોલિસી ઉપર કામ કરતાં ટેસ્ટમાં પોઝિટિવ આવેલા લોકોની જાણકારીઓ એકત્ર કરીને તેમની પણ સંક્રમણની તપાસ કરવાની સૂચના આપવામાં આવી છે. આવા લોકોને આઈસોલેટ એટલે કે અળગા પાડવા માટે પણ કહેવામાં આવ્યું છે. આવી જ રીતે કેન્દ્ર સરકારે જિલ્લા પ્રશાસનને પણ માઈક્રો લેવલે કન્ટેઈન્મેટન્ટ ઝોન તૈયાર કરવાં ઉપર જોર આપવા તાકીદ કરી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું છે કે, કન્ટેઈન્મેન્ટ ઝોનમાં નિયમોનાં પાલન માટે સ્થાનિક પ્રશાસન અને પોલીસ જવાબદાર રહેશે. આ ઉપરાંત જવાબદાર અધિકારીઓની જવાબદેહીતા પણ રાજ્ય સરકારોને નક્કી કરવાની છે. કામનાં સ્થળો ઉપર શારીરિક અંતરનાં નિયમોનું પાલન કરાવવાનો અધિકાર પણ રાજ્યોને આપવામાં આવ્યો છે. માસ્ક, સેનિટાઈઝર, સ્વચ્છતા, સોશિયલ ડિસ્ટન્સનાં નિયમોમાં સખ્તાઈ અને દંડ નક્કી કરવાનો અધિકાર પણ રાજ્યોને રહેશે.
આ ઉપરાંત રાજ્યોને જિલ્લા, તાલુકા અને શહેર કે વોર્ડ સ્તરે કોરોના સંબંધિત નિયંત્રણો લાગુ કરવાનો અધિકાર પણ રહેશે.
સખ્તાઈનાં આ આદેશો સાથે કેન્દ્ર તરફથી એવું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, અન્ય રાજ્યોમાં અવરજવર ઉપર કોઈ પ્રતિબંધ નથી. રાજ્યની ભીતર પણ આવાગમન ઉપર કોઈ જ રોક નથી. આવા પરિવહન માટે કોઈ મંજૂરી કે પરમિટ પણ જરૂરી રહેશે નહીં.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


