ડેપ્યુટી મેયર પદ શોભાના ગાંઠીયા જેવું નથી જ એવું નિરવ શાહ સાબિત કરી રહ્યા છે
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
ભાંડુત ગામે ઘનકચરાના નિકાલની પ્રપોઝ્ડ સાઇટની સમસ્યા હોય કે સુરતની ચોપાટીની ગંદકી હોય કે અડાજણ વિસ્તારમાં સેનિટેશનની સમસ્યા હોય કે પછી કેબલ સ્ટેઇડ બ્રિજના અડાજણ છેડે ટ્રાફિકનો વકરેલો પ્રશ્ન હોય. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્તમાન ડેપ્યુટી મેયર નિરવ શાહ સ્પોટ પર પહોંચીને પાલિકાના સંબંધિત અધિકારીઓને તેડાવીને ઓન ધ સ્પોટ સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરે છે અને તેઓ મહદઅંશે સફળ રહ્યા છે. અહીં બિટવીન ધ લાઇન્સ એ પણ સંદેશો નીકળે છે કે અત્યાર સુધી સુરતમાં ડેપ્યુટી મેયર પદને રબર સ્ટેમ્પ, શોભાના ગાંઠીયા કે માત્ર કોઇકને ખુશ કરવા માટે આપી દેવાતું પદ મનાતું હતું, પણ જ્યારથી નિરવ શાહ ડેપ્યુટી મેયર પદે આરુઢ થયા છે એ પછી એમણે જે કામગીરી કરીને લોકસમસ્યાઓનો નિવેડો લાવ્યા છે, એ વાત માનવી પડશે કે ડેપ્યુટી મેયર પદેથી શું ન કરી શકાય.

(Nirav Shah @ Chowpati with SMC Officials)
હકીકતમાં એ વાત પણ નિશ્ચિત બની છે કે જે રીતે ડેપ્યુટી મેયર પદે રહીને નિરવ શાહ હાઇપ્રોફાઇલ, લીડ લઇને કામો કરી રહ્યા છે એ જોતા હવે પછીના ડેપ્યુટી મેયરોએ પણ નવા ટ્રેન્ડમાં સતત દોડતા રહેવું પડશે. એવું નથી કે નિરવ શાહ ફક્ત અડાજણ વિસ્તારમાં જ કે જે પોતાનો મત વિસ્તાર છે ત્યાં ના પ્રશ્નો માટે પ્રયત્નશીલ છે, તેઓ શહેરના ડેપ્યુટી મેયર છે એટલે સમગ્ર શહેરમાં કનડતા પ્રશ્નોનો નિવડો લાવવા માટે તેઓ સતત પ્રયત્નશીલ છે.

(Nirav Shah @ Cable Stayed Bridge Adajan side with SMC officials)
કેબલ સ્ટેઇડ બ્રિજ ખુલ્લો મૂકાયા એ દિવસથી જ ટ્રાફિકની સમસ્યા હતી
શહેરને માટે નજરાણું બનેલો તાપીનદી ઉપરનો કેબલ સ્ટેઈડ બ્રિજ ઉદ્દઘાટન પછીના કલાકમાં જ ચક્કાજામનો ભોગ બન્યો હતો. ખાસ કરીને બ્રિજના અડાજણ તરફના છેડે ઓવરબ્રિજની નીચે સર્જાતા જંકશન ઉપર ટ્રાફિકની પરિસ્થિતિને લીધે આવુ થયું હતું. આનેલીધે કેબલ સ્ટેઈડ બ્રિજ ઉપરથી અડાજણ-પાલ તરફ જતા ટ્રાફિકને સ્ટારમોલવાળા જંકશન ક્રોસ કરવાનું બંધ કરાવીને ફરજિયાત લેફ્ટ ટર્ન લેવાની ફરજ પડાઈ હતી. જોકે, આ ટ્રાફિકને એલ.પી. સવાણી રોડ તરફ જવુ હોય તો તેના માટે રાધાસ્વામી આશ્રમ પાસે ઓવરબ્રિજ પૂરો થાય ત્યાંથી યુ-ટર્ન લેવો પડતો હતો. આવી સ્થિતિમાં ઓવરબ્રિજ ઉપરથી હજીરા તરફ જતો સીધો ટ્રાફિક પણ ખોરવાતો હતો. છેલ્લાં પખવાડિયાથી આવી સ્થિતિમાં કોઈ ખાસ સુધારો જોવા મળતો નહતો.
સમસ્યા ઉકેલવા ડે.મેયર નિરવ શાહે સ્પોટ ઉપર જ સોલ્યુશન શોધાવ્યુ
ટ્રાફિક સરળ થાય તે માટે કેબલ સ્ટેઈડ બ્રિજ બનાવ્યો. જોકે, તેના બદલે અડાજણ છેડે ફલાય ઓવરબ્રીજ પર ઉતરતા ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ હતી. એટલે, તેના ઉકેલ માટે સોમવારે ડે. મેયર નિરવ શાહે સ્પોટ ઉપર જ ઉકેલ શોધાવવા મથામણ આદરી હતી.
સિટી ઇજનેર ભરત દલાલ, ડે. કમિશનર સી. વાય. ભટ્ટ, ડે. કમિશનર આર. જે. પંડ્યા, બ્રિજસેલના કાર્યપાલક ઇજનેર અક્ષય પંડ્યા અને ટ્રાફિક વિભાગના કાર્યપાલક ઇજનેર તૃપ્તિબેનને સ્થળ પર બોલાવ્યા હતાં. તેમની સાથે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તેમને પણ વાસ્તવિક સ્થિતિ શું સર્જાય છે, તેનું અવલોકન કરાવ્યું હતું.
દરેક સમસ્યાનો એક ઉકેલ જરૂર હોય જ
સ્થળ પર જ અધિકારીઓ સાથે ચર્ચા કરીને કેબલ સ્ટેઈડ બ્રિજ ઉપરથી અડાજણ તરફ આવતા અને એલ.પી. સવાણી રોડ તરફ જતા ટ્રાફિકને માટે ફલાય ઓવરબ્રિજની નીચેથી જ યુ-ટર્ન લઈ શકાય તેવું આયોજન કરવાનો વિકલ્પ નક્કી કરાયો હતો. આ માટે આગામી બે-ત્રણ દિવસમાં આર.સી.સીની પરદી, સિમેન્ટ કર્બસ્ટોનથી વ્યવસ્થા ઉભી કરી દેવાશે, તેવું ડે.મેયર નિરવ શાહનું કહેવું હતું.

(Nirva Shah @ Bhandut, Olpad. the Proposed Sight of Solid Waste Disposal by SMC)
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


