હોમ આઇસોલેશન : 10 Days માં ડિસ્ચાર્જ

મોટી સંખ્યામાં લોકોને કોરોનાના લક્ષણો જોવા મળતા નથી એની નોંધ લઇને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે અસિમ્પ્ટોમિક પોઝિટિવ દર્દીઓને હળવા અથવા પ્રિ-સિમ્પ્ટોમિક કોરોના ચેપના કેસોની સૂચિમાં સમાવવા માટે હોમ આઇસોલેશનની માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે.
હવેથી હોમ આઇસોલેશનના દર્દીઓને લક્ષણોની શરૂઆતના દસ દિવસ પછી અને ત્રણ દિવસ સુધી તાવ ન આવે તે પછી ડિસ્ચાર્જ આપવામાં આવશે. ત્યાર બાદ તેમને સાત દિવસ હોમ આઇસોલેશનમાં રહેવાની સલાહ આપવામાં આવશે. હોમ આઇસોલેશન બાદ ટેસ્ટિંગની જરૂર નથી.
દેશમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોનાના રોગચાળાને કાબૂમાં લેવા આરોગ્ય મંત્રાલય દ્વારા સમયાંતરે વિવિધ જાહેરાત કરાય છે. આ ઉપરાંત દરેક રાજ્ય પાસેથી મળતા કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા અંગે પણ નોંધ રખાય છે. અમુક રાજ્ય દર્દીઓની સંખ્યા ઘણી મોડી જણાવતા હોવાની ફરિયાદ થઈ રહી છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
