અયોધ્યાની જાહેરસભામાં મોદીએ જય શ્રીરામના નારા લગાવ્યા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રામનગરી અયોધ્યાથી 25 કિમી. દૂર ગોસાઈગંજમાં એક ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું જેમાં તેમણે ત્રાસવાદના મુદ્દા પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. તેમણે આક્ષેપ કર્યો હતો કે સપા-બસપા જોડાણ અને કૉંગ્રેસ ત્રાસવાદના મામલે હળવું વલણ અપનાવે છે. તેમણે પોતાના સંબોધનમાં રામમંદિર બાબરી મસ્જિદ વિવાદનો ઉલ્લેખ કર્યો ન હતો. તેમણે જય શ્રીરામનો નારો તો લગાવ્યો હતો પણ રામમંદિર મુદ્દે કઈ ઉલ્લેખ કર્યો ન હતો.
એસપી અને બીએસપી યુતિએ બાબાસાહેબ આંબેડકર અને રામમનોહર લોહિયાના નામનો ગેરઉપયોગ કર્યો છે. ગરીબો માટે આ પક્ષોએ કંઈ કર્યું નથી. અમારી સરકાર જ ગરીબો વિશે વિચારે છે. માયાવતીજી આંબેડકરના આદર્શ વિરુદ્ધના કામ કરે છે. સમાજવાદી પક્ષ લોહિયાનું નામ દરેક જગ્યાએ લે છે, પરંતુ તેમના આદર્શોનું આચરણ કરતા નથી.
આ બંને પક્ષની રાજ્યમાં સરકાર હતી તે વખતે કાયદો-વ્યવસ્થા પડી ભાંગી હતી.
રામાયણ સર્કિટ હેઠળ ટૂરિસ્ટ સ્પોટ અહીં વિકસાવાશે, એમ તેમણે કહ્યું હતું.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
